ભગવાન ભોળાનાથને પ્રશન્ન કરવા માટે લોકો શિવલિંગ પર ધતૂરા અને બિલીપત્ર ચઢાવે છે જળ અર્પિત કરે છે દૂધ અર્પણ કરે છે. જેનાથી ભગવાન શિવ પ્રસન્ન થઈ થાય અને એમની કૃપા વરસતી રહે પરંતુ તમે એવું ક્યારેય સાંભળ્યું કે ક્યાંય શિવલિંગ પર સાવરણી ચડાવવામાં આવે છે. તમને આશ્ચર્ય થશે પણ આજે અમે તમને જણાવશું ભગનાન ભોળીયાના એવા મંદિર વિશે જ્યાં શિવલિંગ પર સાવરણી ચડાવવામાં આવે છે.
ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં આવેલા બિહાજોઈ ગામમાં શિવજીનું એક પ્રાચીન મંદિર છે. જેનું પાતાલેશ્વરના નામથી ભગવાન શિવ પૂજાય છે. અહિયાં આવતા શ્રધ્ધાળુઓ શિવલિંગ પર સાવરણી ચડાવી પોતાની માનતા પૂરી કરે છે.
માન્યતાઓ મુજબ 150 વર્ષ જૂના આ શિવ મંદિરમાં આવતા શ્રધ્ધાળુઓ ત્વચા સંબંધિત રોગોથી છુટકારો પ્રાપ્ત કરવા માટે અને પોતાની ઈચ્છા પૂરી કરવા માટે સાવરણી ચડાવે છે.
તમને જણાવીએ કે શિવજીના આ મંદિરમાં સાવરણી ચઢાવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. અહીં રોજ શિવજી પર સાવરણી ચડાવવા ભક્તોની ભારે ભીડ રહે છે.
સોમવારના દિવસે અહીં હજારોની સંખ્યામાં લોકો સાવરણી ચડાવવા આવે છે. સ્થાનિક લોકોનું માનવું છે કે સાવરણી ચડાવવાથી ત્વચાની બધી મુશ્કેલીઓથી છુટકારો મળે છે.
આ મંદિર વિશેની એક રસપ્રદ વાર્તા છે. જે મુજબ આ ગામમાં ભિખારીદાસ નામનો એક ધનવાન વ્યાપારી રેહતો હતો. ભિખારીદાસની ત્વચા પર કાળા રંગના દાગ હતા. જે કારણે દુખાવો પણ થતો હતો. આ રોગથી છુટકારો મેળવવા તે ઉપચાર માટે એક દિવસ વૈધ પાસે ગયા.
જ્યારે તેઓ વૈધ પાસે જતા હતા ત્યારે એમને રસ્તામા એક આશ્રમ દેખાયો ભિખારીદાસને ઘણી તરસ લાગી હતી. જેથી તે પાણી માટે આશ્રમ બાજુ ગયા આશ્રમની અંદર જતી વખતે સફાઈ કરી રહેલા એક સાધુની સાવરણીથી એમનું શરીર સ્પર્શ થઈ ગયું. સાવરણીના અડવા માત્રથી જ ભિખારી દાસના દુખાવાનું સમાધાન થઈ ગયું.
જ્યારે ભિખારીદાસેએ સાધુને આનું કારણ પૂછ્યું તો એમણે કીધું કે આ ભગવાન શિવનો ચમત્કાર છે અને એ એમના સૌથી મોટા ભક્ત છે. ભિખારીદાસ ખુશ થઈને સોનાની મોહરોથી ભરેલી થેલીની ભેટ આપવાનું ઇચ્છયું પરંતુ સાધુએ એને લેવાની ના પાડી અને કહ્યું કે જો તમે સાચે કઈક આપવા માંગો છો તો આ આશ્રમના સ્થાન પર શિવ મંદિરનું નિર્માણ કરાવી દો.
ભિખારીદાસે એવું જ કર્યું ત્યારબાદ ધીમે-ધીમે અહીં સાવરણી ચડાવવાની શરૂઆત થઇ. જે આજે પણ ચાલે છે. તમને જણાવી દઇએ કે અહીં માત્ર મુરાદાબાદથી જ નહીં પરંતુ આસપાસના જિલ્લામાંથી પણ ઘણી સંખ્યામા ભક્તો આવે છે અને ત્વચાથી સંબંધિત મુશ્કેલીઓથી છુટકારો મેળવવા પ્રાર્થના કરે છે.