માતા વૈષ્ણોદેવીના દર્શને આવનારા ભક્તોને ભવનમાં જ ઐતિહાસિક શિવ ગુફાના દર્શનથી વંચિત રહેવું પડી રહ્યું છે. તેનું કારણ એ છે કે શિવ ગુફાના મુખ્ય પ્રવેશ દ્વાર પર ખડક ખસી જવાના કારણે ગુફાનો દ્વાર બંધ થઈ ગયો છે. તેના કારણે ભક્ત ભગવાન શિવના દર્શન કરવાથી વંચિત થઈ રહ્યા છે.
માતા વૈષ્ણોદેવીના મંદિરે થયો ચમત્કાર
ખડક ધસી જવાના કારણે શિવ ગુફાનો માર્ગ થયો બંધ
ભક્ત ભગવાન શિવના દર્શન કરવાથી વંચિત
ઉલ્લેખનીય છે કે 29 ડિસેમ્બરની સવારે આ પૂજારી આરતી માટે ગુફામાં પહોંચ્યા તો તેઓએ ભગવાન શિવની પૂજા અર્ચના કરી. જ્યારે પૂજારી આરતી બાદ બહાર આવ્યા તો શિવ ગુફાના પ્રવેશ દ્વાર પર પહોંચ્યા ત્યારે અચાનક ખડક ખસી જવાના કારણે ગુફાનો દરવાજો બંધ થઈ ગયો હતો.
દર્શન ન કરી શકવાના કારણે ભક્તો થઈ રહ્યા છે નારાજ
ખડક ખસી જતાં દરવાજો બંધ થવાના કારણે દર્શનને માટે રાહ જોઈ રહેલા ભક્તોને નિરાશ થવું પડી રહ્યું છે. અન્ય તરફ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે આ ગુફાની તરફની અવરજવર હાલમાં બંધ કરી છે. ખડકને હટાવવા માટે પણ તેઓએ વિશેષજ્ઞની મદદ પણ લીધી છે. લગભગ 11 દિવસ વીત્યા બાદ પણ હાલ સુધી ખડકને હટાવવામાં આવ્યા નથી. માતા વૈષ્ણોદેવીના દર્શન કર્યા બાદ ભક્ત શિવ ગુફાના દર્શનથી વંચિત રહ્યા છે.
ખડક હટાવવા માટે ચાલી રહી છે કામગીરી
હાલમાં જ ટિહરી હાઈડ્રો ઈલેક્ટ્રિક ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના વિશેષજ્ઞોની ટીમે આ શિવગુફાનું નિરીક્ષણ કર્યું છે, જેથી ખડકને સાવધાનીથી અને ટેકનિક સાથે હટાવી શકાય. ગુફા સહિત અન્ય કોઈ ભાગને નુકસાન ન થાય તે માટે ટીમ તપાસ કરી રહી છે. જલ્દી જ આ કામ માટેની કામગીરી શરૂ કરવામાં આવશે.