વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલ એક શિવ મંદિરમાં નંદી દૂધ પિતા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ સમાચાર વડોદરામાં ફેલાતા લોકો મોટી સંખ્યામાં આ મંદિર પહોંચ્યા હતા અને નંદીને દૂધ પીવડાવતા હતા લોકો માટે ચમત્કાર જેવી આ ઘટના શું છે?
સામાન્ય રીતે શિવભક્તો તો રોજે-રોજ ભગવાન શિવ અને નંદીને જળાભિશેક કરતા હોય છે. પરંતુ શ્રાવણ માસમાં તેનું અનોખું મહત્વ હોય છે. તેમાં પણ શ્રાવણમાસમાં ભગવાન શિવનું પ્રિયવાહન એટલે કે નદીં દૂધ પીવે તો? જાણે ચમત્કાર થઈ જાયને આવું જ કાંઈક વડોદરામાં સામે આવ્યું છે.
વડોદરાના ગોત્રી વિસ્તારમાં આ આવેલા અંબિકા નગરના શિવ મહાદેવ મંદિરમાં ગઈકાલે નંદી દૂધ પીતો હોવાનું ભક્તોના ધ્યાનમાં આવ્યું હતું. કાલે બપોરના સમયથી નણદી દૂધ પિતા હોવાની વાત બહાર આવતા જ ભક્તોની ભારે ભીડ મંદિરમાં જામી હતી અને ભક્તોએ નંદીને દૂધ પીવડાવ્યું હતું. અત્યારે રાજસ્થાની સમાજની માન્યતા પ્રમાણે શ્રવણ મહિનો ચાલે છે અને ગઈ કાલે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર હતો. જેના કારણે રાજસ્થાની સમાજના ભક્તો મોટી સંખ્યામાં મંદિરમાં આવ્યા હતા અને નંદી મહારાજને દૂધ પીવડાવ્યું હતું.
વાત જાણે અમે છે કે શિવ મહાદેવ મંદિરના પૂજારી ગઈકાલે મંદિરની સફાઈ કરતા હતા ત્યારે નંદીને પાણી પિવડાવવાનો પ્રયાસ કર્યો હતો. તો નંદી પાણી પીવા લાગ્યા ત્યારબાદ પુજારીએ દૂધ પીવડાવવાનો પ્રયાસ કર્યો હતો. તો નંદી દૂધ પણ પીવા લાગ્યા આ વાતની ભક્તોને ખબર પડતા લોકો મોટી સંખ્યામાં મંદિરમાં આવવા લાગ્યા હતા.
આ ઘટના એક ચમત્કારથી ઓછીના હતી લોકોએ ભક્તિપૂર્વક નંદીને દૂધ પીવડાવ્યું હતું. જોકે કાલે રાત્રીના 12 વાગ્યાથી નંદી મહારાજે દૂધ પીવાનું બંધ કરી દીધું છે અને તેવું મહારાજ જણાવ્યું હતું.
દેશના વિવિધ વિસ્તારોમાં નંદીનું દૂધ પીવું, ચૂંદડીમાંથી કંકુ નીકળવું તેવી ઘટનાઓ બની રહી છે. ત્યારે વડોદરાના ગોત્રી વિસ્તારના શિવ મંદિરમાં નંદીના દૂધ પીવાના સમાચારથી લોકોમાં આચરજ ફેલાયું છે.