મુંબઈ એરપોર્ટ પર શિવસેનાના કાર્યકરો દ્વારા તોડફોડ કરવામાં આવી છે. અદાણી ગ્રુપ દ્વારા છત્રપતિ શિવાજીનું બોર્ડ હટાવી દેવામાં આવતા શિવસેનાના કાર્યકરોએ અદાણીનું બોર્ડ તોડી પાડ્યું.
શિવસેનાના કાર્યકરોએ મુંબઈ એરપોર્ટ પર કરી તોડફોડ
અદાણી ગ્રુપનું બોર્ડ ઉખાડીને તોડી ફેક્યું
શિવસેનાના કાર્યકરોએ કરી કાયદાની ઐસીતૈસી
સરકારનું કામ હોય છે કે તે સમાજમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખે પરંતુ મહારાષ્ટ્રમાં તો શિવસેનાની સરકાર દ્વારાજ કાયદાની ઐસી તૈસી કરવામાં આવી છે. મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે શિવસેનાના કાર્યકર્તાઓએ તોડફોડ કરી છે. આ એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. જેમા અદાણીના બોર્ડનેજ નુકશાન પહોચાડવામાં આવ્યું છે.
સમગ્ર મામલે તોડફોડ કર્યા બાદ શિવસેના દ્વારા એવા એવા આક્ષેપ કરવામાં આવ્યા છે. કે એરપોર્ટ પહેલા છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટના નામે જાણીતું હતું. પરંતુ અદાણીના હાથમાં જ્યારથી સંચાલન આવ્યું ત્યારથી અદાણી એરપોર્ટનું બોર્ડ લગાવવામાં આવ્યું છે.
અદાણીનું બોર્ડ તોડ્યું
અદાણી એરપોર્ટના લાગેલા બોર્ડ મામલે શિવસેના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તેમનાથી આ વસ્તુ સહન નહી થઈ. જેના કારણે તેમણે અદાણીનું બોર્ડ તોડી કાઢ્યું છે.
જુલાઈથી એરપોર્ટનું સંચાલન અદાણીના હાથમાં
ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપ દ્વારા એવિએશન સેક્ટરમાં મોટા પ્રમાણમાં રોકાણ કરવામાં આવ્યું છે. જેથી દેશના મોટા ભાગના એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપ દ્વારા કરાવામાં આવી રહ્યું છે. જુલાઈ માસમાં એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપના હાથમાં આવ્યું હતું. જે મામલે તેમણે ટ્વીટ કરીને માહિતી આપી હતી.