મુંબઈના પાલઘર જિલ્લાના વસઈ વિસ્તારમાં આવેલા બીગ બઝારમાં વેચાઈ રહેલા પાકિસ્તાની શાન સિન્ધી નામના બિરયાની મસાલાને લઈને શિવસેના દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સ્થાનિક વસઈ શિવસેનાના કાર્યકર્તાઓને જ્યારે ખબર પડી કે બીગ બઝારમાં પાકિસ્તાની મસાલા વેચાઈ રહ્યા છે.
ત્યારે સૌથી પહેલા બે પેકેટ મસાલાની ખરીદી કરવામાં આવી. જેથી પુરાવા એકત્ર કરી શકાય. બાદમાં શિવસેનાના કાર્યકર્તાઓએ જોરદાર હોબાળો મચાવ્યો. આખરે વિવાદ વકરતા બીગ બઝારના મેનેજરે વસઈ પોલીસને જાણ કરી અને બાદમાં મામલો થાળે પડ્યો. શિવસેનાના લોકોએ બીગ બજારના મેનેજરને લેખિતમાં પત્ર આપ્યો કે બીજી વાર આ રીતે પાકિસ્તાની મસાલાનું વેચાણ થશે તો મોટુ આંદોલન કરવામાં આવશે.
Maharashtra: Shiv Sena workers objected to a 'Made in Pakistan' product being sold in a store in Vasai Palghar. Store manager called police to resolve the situation. (24-1-19) pic.twitter.com/UvBTtpuB6E
આ મામલે મળતી જાણકારી મુજબ મુંબઇના પાલઘર જિલ્લાના વસઇ વિસ્તારમાં આવેલ બીગ બઝારમાં બિરાયાની મસાલો વહેંચાઇ રહ્યો હોવાની જાણ શિવસેનાના કાર્યકર્તાઓને થતાં તેઓએ ઘટના સ્થળે પહોંચીને વિરોધ કર્યો હતો. આ વિરોધ કરવા પાછળનું કારણ બિરીયાની મસાલો પાકિસ્તાની શાન સિન્ધી નામ ધરાવતો હતો.
જો કે આ ઘટનાની જાણ વસઇ પોલીસ સ્ટેશને થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મામલો વધુ ના બિચકાય તે માટે સમજાવટ હાથ ધરી હતી. અંતે પોલીસની મધ્યસ્થી થવાથી મામલો થાળે પડ્યો હતો પરંતુ શિવસૈનિકોએ આ મસાલો નહીં વેચવા અંગેની જાણ પણ બીગ બજારના મેનેજરને લેખિતમાં કરી હતી.