રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર એટલેકે, (NRC)નો વિવાદ હજી પૂરો નથી થયો અને ત્યાં કેબિનેટે નાગરિકતા સંશોધન બિલ એટલેકે, (સિટીઝન એમેન્ડમેન્ટ બિલ)ને મોદી કેબિનેટે મંજૂરી આપી દીધી છે. હવે આ બિલને સંસદમાં રજૂ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. બિલમાં સુધારા થયા પછી શરણાર્થીઓ પર તેની કેવી પડશે અસર કોણ અને શા માટે આ બિલનો કરી રહ્યા છે વિરોધ.
નાગરિકતા સંશોધન બિલ કેબિનેટ બેઠક પસાર
શિવસેના આપશે બિલને સમર્થન
સંસદમાં રજૂઆતનો માર્ગ મોકળો
મોદી કેબિનેટે હવે નાગરિકતા સંશોધન બિલને મંજૂરીની મહોર મારી દીધી છે. તેથી હવે આ બિલને સંસદમાં રજૂ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. બિલમાં સુધારણા થયા પછી ભારતમાં રહેતા શરણાર્થીઓને મળતા નાગરિકતાના નિયમોમાં ઘણાં ફેરફાર આવશે.
ચૂંટણી પહેલાં ઉછળ્યો NRC નો મુદ્દો
ભાજપ સરકાર આ બિલને જેમ બને તેમ વહેલી તકે સંસદમાં પસાર કરવાની તૈયારી કરી રહી છે. કેમકે આ બિલથી ભાજપને રાજકીય ફાયદો પણ દેખાઈ રહ્યો છે. લોકસભા ચૂંટણી પહેલાં બીજેપીએ એનઆરસી મુદ્દાને જોર-શોરથી ઉઠાવ્યો હતો. જેનો બીજેપીને ફાયદો પણ મળ્યો હતો.
શિવસેનાએ આ બિલનું સમર્થન કર્યું
ત્યારે હવે વિપક્ષ દ્વારા પણ અને ખાસ કરીને પૂર્વોત્તરની પાર્ટીઓ દ્વારા આ બિલનો ખૂબ વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરંતુ કોંગ્રેસ સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવનારી શિવસેનાએ આ બિલનું સમર્થન કર્યું છે.
એક તરફ આ બિલ આ સપ્તાહમાં જ સંસદમાં રજૂ કરવા માટે મોદી સરકાર તૈયારી કરી રહી છે ત્યારે આ બિલ મુદ્દે વિપક્ષ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યું છે.
આસામ સહિત પૂર્વોત્તરના અન્ય રાજ્યોમાં બિલનો થયો વિરોધ
આપને જણાવી દઈએ કે, હમણાં થોડા સમય પહેલાં જ નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન વિશે આસામ સહિત પૂર્વોત્તરના અન્ય રાજ્યોમાં પણ વિરોધ થયો હતો. એનઆરસી પછી તુરંત હવે નાગરિકતા સંશોધન બિલ (CAB) લાવવામાં આવી રહ્યું છે. જેનો વિરોધ થઈ રહ્યો છે. નોર્થ ઈસ્ટ સ્ટૂડન્ટ્સ ઓર્ગેનાઈઝેશનની આગેવાનીમાં પૂર્વોત્તરના ઘણાં વિદ્યાર્થી સંગઠન પણ આ બિલનો વિરોધ કરી રહ્યા છે.