મહારાષ્ટ્રમાં રાજકીય દંગલ ચરમસીમાએ પહોંચતા આજે મુંબઈમાં રાજકીય પાર્ટીઓનો ધમધમાટ રહ્યો. ભાજપે સરકાર બનાવવા પીછેહઠ કર્યા બાદ શિવસેના-NCP અને કોંગ્રેસ હરકતમાં આવી ગયાં છે. જેમાં આજે સવારે જ મોટાં સમાચાર આવતાં શિવસેનાના કેન્દ્રીય મંત્રી અરવિંદ સાવંતે દિલ્હીમાં પોતાના રાજીનામાંની જાહેરાત કરી હતી.
અરવિંદ સાવંતનું મોટું નિવેદન
રાજીનામા બાદ આપ્યું નિવેદન
આ રીતે બની શકે છે શિવસેનાની સરકાર
ભાજપ-શિવસેના વચ્ચે ખટરાગ વધતાં આખરે અરવિંદ સાવંતના સત્તાવાર રાજીનામાંની સાથે સાથે સેનાએ NDA સાથે પણ છેડો ફાડતાં મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે NCPએ શિવસેના સાથે સરકાર રચવા માટે NDA સાથે ગઠબંધન તોડવાની શરત મૂકી હતી. ત્યારે હવે NDAથી અલગ થઈ છે એટલે નક્કી છે કે શિવસેના NCP સાથે સરકાર બનાવવા મક્કમ છે.
અરવિંદ સાવંતનું મોટું નિવેદન
રાજીનામું આપ્યાં બાદ અરવિંદ સાવંતે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં નવી સરકાર બની રહી છે. ઠાકરે પરિવાર વચનો પાક્કો છે અને તે નિભાવીને રહેશે. ભાજપ સાથે 50-50 ફોર્મ્યુલાનો વાયદો હતો અને તેમાં CM પદ પણ શામેલ હતું પરંતુ તે ભાજપે નિભાવ્યો નહીં. ઠાકરે પરિવારને આ બાબતથી દુઃખ પહોંચ્યું છે અને તેથી જ અમારું ગઠબંધન રહ્યું નથી. આવી પરિસ્થિતિમાં મારું કેબિનટેમાં રહેવું યોગ્ય નથી. મેં મારું રાજીનામું PM મોદીને મોકલી આપ્યું છે. મારું રાજીનામું આપવાનો મતલબ તમે સમજી જ શકો છો.
કેવી રીતે બનશે શિવસેનાની સરકાર
શિવસેના પાસે 56 ધારાસભ્યો છે. મહારાષ્ટ્રમાં કુલ વિધાનસભાની 288 બેઠક છે. કોઇપણ પક્ષને સરકાર બનાવા માટે 145નો જાદુઇ આંકડો જોઇએ. આવા સમયે 54 બેઠકવાળી શરદ પવારની NCPનું સમર્થન શિવસેનાને મળી જાય તો પણ આંકડો 110 સુધી પહોંચી શકે છે. ત્યારે શિવસેનાને સરકાર બનાવવા માટે દાવા રજૂ કરવા પર 35 ધારાસભ્યોના સમર્થનની જરૂરિયાત પડે.
એવામાં અન્ય પાર્ટી તેમજ અપક્ષ ઉમેદાવારના ખાતામાં 27 બેઠક ગઇ છે. જ્યારે કોંગ્રેસ પાસે 44 સીટ છે. આવામાં શિવસેના ગઠબંધનને એનસીપી સિવાય 35 બેઠકની જરૂરિયાત પડી શકે છે. આમ આવા સંજોગોમાં કોંગ્રેસના સમર્થન સિવાય કોઇ વિકલ્પ નથી. આમ કોંગ્રેસ, શિવસેના અને NCP સાથે આવી જાય છે તો આ ગઠબંધન બહુમતિના જાદુઇ આકાડાંને પાર કરી શકે છે. ત્રણેય પક્ષની કુલ 154 બેઠક થઇ જાય છે.