અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને એક વાર ફરીથી રાજકારણ તેજ થઇ ગયું છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પોતાનાં 18 સાંસદો સહિત આજે રામલીલાનાં દરબારે પહોંચ્યાં અને રામલીલા મંદિરમાં પ્રાર્થના કરી. તેમનું આ પગલું રામ મંદિરનાં નિર્માણ માટે મોદી સરકાર પર રાજનીતિક દબાવ બનાવવાનાં રૂપમાં દેખવામાં આવી રહેલ છે.
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કેન્દ્રમાં મજબૂત સરકાર છે. મોદી સરકાર જો મંદિર બનાવવા માટે પગલું ઉઠાવે તો અમે તેમની સાથે જ છીએ. ઉદ્ધવે કહ્યું કે, 'કેન્દ્ર સરકાર રામ મંદિર નિર્માણનો નિર્ણય કરશે અને ઓર્ડિનેંસ લાવીને મંદિર બનાવવામાં આવે. તેઓએ કહ્યું કે, જો જરૂરિયાત પડી તો અમે ફરીથી રામ મંદિરનું આંદોલન શરૂ કરીશું.
અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને એક વાર ફરીથી રાજકારણ તેજ થઇ ગયું છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પોતાનાં 18 સાંસદો સહિત આજે રામલીલાનાં દરબારે પહોંચ્યાં અને રામલીલા મંદિરમાં પ્રાર્થના કરી. તેમનું આ પગલું રામ મંદિરનાં નિર્માણ માટે મોદી સરકાર પર રાજનીતિક દબાવ બનાવવાનાં રૂપમાં દેખવામાં આવી રહેલ છે.
અયોધ્યામાં ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, કેન્દ્રમાં મજબૂત સરકાર છે. મોદી સરકાર જો મંદિર બનાવવા માટે પગલું ઉઠાવે છે તો અમે સાથે રહીશું. ઉદ્ધવે કહ્યું કે, કેન્દ્ર સરકાર રામ મંદિરનાં નિર્માણનો ચુકાદો કરે અને જલ્દીથી રામ મંદિર બને. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ઓર્ડિનેંસ લાવીને મંદિર બનાવવામાં આવે. તેઓએ કહ્યું કે, જો જરૂરિયાત પડી તો અમે ફરી વાર મંદિર માટે આંદોલન કરીશું.
ઉદ્ધવે કહ્યું કે, જ્યારે છેલ્લો વખત આવ્યો ત્યારે લોકોએ વિચાર્યુ કે, હું રાજ્ય કબ્જે કરવા આવ્યો છું, પરંતુ માત્ર ત્યારે જ મેં 'પહેલા મંદિર પછી સરકાર' નારો આપ્યો હતો. મેં કહ્યું હતું કે, હું ચૂંટણી પછી ફરી આવીશ અને મેં મારું વચન પૂર્ણ કર્યુ. આજે હું કહી રહ્યો છું કે મંદિર બનશે જ બનશે.