મહારાષ્ટ્રમાં હવે ગુજરાતીઓને લઈને રાજકારણ તેજ થઈ રહ્યું છે. મુંબઈમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહે છે ત્યારે શિવસેના ગુજરાતીઓને રીઝવવા માટે હવે કમર કસી રહી છે.
BMCની ચૂંટણી પહેલા શિવસેનાની નવી સ્ટ્રેટેજી
મુંબઈમાં ગુજરાતી મતદાતાઓને આકર્ષવા શિવસેનાએ કમર કસી
10મી જાન્યુઆરીએ જોગેશ્વરીમાં ભવ્ય કાર્યક્રમ
ગુજરાતીઓ માટે કાર્યક્રમનું આયોજન
મુંબઈમાં કોર્પોરેશનની ચૂંટણી પહેલા શિવસેનાએ ગુજરાતીઓને રીઝવવા માટે નવી રણનીતિ અપનાવી છે, શિવસેના હવે મુંબઈમાં ગુજરાતીઓ સાથે મુલાકાત કરશે. 10મી જાન્યુઆરીના રોજ શિવસેના નેતાઓ દ્વારા મુંબઈના વિવિધ વિસ્તારોમાં ગુજરાતીઓ માટેના કાર્યક્રમ કરવામાં આવશે. જોગેશ્વરી વેસ્ટમાં નવનીત ગુજરાતી સમાજ હૉલમાં એક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે.
મુંબઈમાં જલેબી ને ફાફડા, ઉદ્ધવ ઠાકરે આપણાં : શિવસેના
શિવસેનાએ કહ્યું એક આ કાર્યક્રમ મુંબઈમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતીઓમાં જાગરૂકતા આવે તે માટે આ કામ કરવામાં આવી રહયું છે. મુંબઈમાં ઘણા બધા ગુજરાતીઓને કાર્યક્રમમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે સાથે સાથે પાર્ટીએ એમ પણ કહ્યું કે કાર્યક્રમમાં કોર્ન વાયરસના નિયમોનું પાલન કરવામાં આવશે. ગુજરાતીઓને શિવસેના તરફ આકર્ષવા માટે શિવસેનાએ ખાસ સૂત્ર પણ આપ્યું છે. સમગ્ર શહેરમાં મુંબઈમાં જલેબી ને ફાફડા, ઉદ્ધવ ઠાકરે આપણાં, એવો મેસેજ આપવામાં આવી રહ્યો છે.
BMCની ચૂંટણી પહેલા શિવસેના મેદાનમાં
પાર્ટીએ કહ્યું કે વર્ષ 2022માં BMCની ચૂંટણી થવા જઈ રહી છે આ ચૂંટણી પહેલા કરતાં એકદમ અલગ રહેવાની છે. પાર્ટીએ કહ્યું એક ભાજપ પાસેથી અમે સત્તા છીનવી લીધી છે તેથી તે હતાશ છે અને સામે ઉદ્ધવ ઠાકરે સારું કામ કરી રહ્યા છે.
શિવસેના માટે ખૂબ મહત્વપૂર્ણ છે BMC
શિવસેનાએ દાવો કર્યો કે મહારાષ્ટ્રમાં કોમી એખલાસ જળવાઈ રહે તે માટે ઉદ્ધવ ઠાકરે પ્રાયસ કરી રહ્યા છે અને કોરોના સામેની લડાઈમાં તેમણે ખૂબ સારું કામ કર્યું છે. જોકે શિવસેના માટે આ ચૂંટણી ખૂબ જ મહત્વની છે ત્યારે ગુજરાતી મતદાતાઓને એક કરવા તથા જાગરૂક કરવા માટે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ કાર્યક્રમમાં સીએમ ઠાકરે સંબોધન કરશે તેવા અહેવાલ પણ સામે આવી રહ્યા છે. નોંધનીય છે કે આ પહેલા મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી હતી ત્યારે આદિત્ય ઠાકરે વરલીથી ચૂંટણી લડવા મેદાનમાં આવ્યા હતા ત્યારે પણ કેમ છો વરલી એવા મોટા મોટા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.