શિવસેનાએ કહ્યું હતું કે લોકડાઉનથી અર્થતંત્રની હાલત ખરાબ થઇ શકે છે, માટે આવી સ્થિતિમાં કેન્દ્રએ મદદ કરવી જોઈએ.
શિવસેનાએ કહ્યું, લોકડાઉનથી હાલત ખરાબ યથાઈ શકે છે
મોદી સરકારે મહરાષ્ટ્ર માટે વિશેષ પેકેજ માંગ્યું
એઇમ્સ એ મહાવિકાસઆઘાડીનું યુનિટ નથી : શિવસેના
શિવસેનાએ મંગળવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસોમાં વધારો થવો એ ચિંતાનું કારણ છે અને આવી સ્થિતિમાં વિપક્ષે કોવિડ 19 સંકટ પર વિચારીને બોલવું જોઈએ.મહત્વનું છે કે મહારાષ્ટ્ર સીએમ ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં જ લોકોને કોવિડ સંબંધિત નિયમોનું પાલન કરવાની સૂચના આપી હતી, સાથે જ તેમણે કહ્યું હતું કે તે એક અઠવાડિયાથી 15 દિવસ સુધી સ્થિતિ પર નજર રાખશે, અને પછી જ લોકડાઉન અંગે નિર્ણય લેશે.
સરકારે એક નિરંકુશ શાસક તરીકે કામ ન કરવું જોઈએ : ભાજપ નેતા
શિવસેનાના મુખપત્ર સામનામાં કહેવામાં આવ્યું હતું કે મુખ્યમંત્રીની ટિપ્પણી પછી ભાજપ નેતા પ્રવીણ દેરકર દ્વારા કહેવામાં આવ્યું હતું કે સરકારે ભયનું વાતાવરણ ન બનાવવું જોઈએ, અને એક નિરંકુશ શાસકની રીતે કામ ન કરવું જોઈએ. જેને લઈને શિવસેનાએ દિલ્હી એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરીયાનું નિવેદન ટાંકીને પ્રતિક્રિયા આપી હતી.
સામનામાં કહેવામાં આવ્યું હતું કે દિલ્હી એઇમ્સના ડાયરેક્ટરે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં કોરોનાનું સ્વરૂપ વધુ ગંભીરે છે અને હર્ડ ઇમ્યુનીટી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે, આવા સમયમાં જે લોકો એન્ટિબોડી મેળવી ચૂક્યા છે, તેમને પણ ફરીથી ચેપ લાગવાનો ખતરો છે.
એઇમ્સએ અમારા ગઠબંધનનું યુનિટ નથી : શિવસેના
સામનામાં આ નિવેદનને ટાંકીને લખવામાં આવ્યું હતું કે એઇમ્સ એ મહાવિકાસઆઘાડીનું યુનિટ નથી, મુખપત્રની એડિટોરિયલમાં કહેવામાં આવ્યું હતું કે હાલમાં વધી રહેલા કોરોનાના કેસો ચિંતાનો વિષય છે અને આવી સ્થિતિમાં જો પુનઃ લોકડાઉનને ટાળવું હોય તો લોકોએ જવાબદારી પૂર્વક વર્તન કરવું પડશે, અને આ સ્થિતિમાં વિપક્ષે પણ જવાબદારી નિભાવવી પડશે.
સામનામાં ભાજપ પર આડકતરો પ્રહાર કરતા લખવામાં આવ્યું હતું કે રાજનીતિ કરવા માટે આખી જિંદગી પડી છે, અને એવું નથી કે માત્ર કોરોના વાયરસે જ આ તક આપી છે, માટે સાવધાનીપૂર્વક બોલો, અને જો તમને લાગે છે એઇમ્સના નિર્દેશકે દેશને ગુમરાહ કરી રહયા છે, તો પછી તેમણે દિલ્હી જઈને પ્રદર્શન કરવું જોઈએ. આ સાથે જ સામનામાં કેન્દ્ર પાસેથી વિશેષ આર્થિક પેકેજની માંગણી કરવામાં આવી હતી.