મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને ભાજપ અને શિવસેનામાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે શિવસેનાના સાંસદ સંજય રાઉતે ફરી એકવાર કહ્યું છે કે મુખ્યમંત્રી અમારો જ હશે. મંગળવારે રાઉતે કહ્યું, આપ જેને હંગામો કહી રહ્યા છો, તે હંગામો નથી, ન્યાય અને અધિકારની લડાઇ છે. મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે.
શિવસેનાના સાંસદ સંજય રાઉતે આપ્યું મોટુ નિવેદન
સંજય રાઉતે કહ્યું, મુખ્યમંત્રી અમારો જ હશે
સંજય રાઉતે કહ્યું, આ હંગામો નથી, ન્યાય અને અધિકારની લડાઇ છે
સંજય રાઉતે વધુમાં જણાવ્યું કે, શપથ ગ્રહણ થઇને રહેશે, સરકાર ગઠનમાં લાગેલું ગ્રહણ દૂર થશે. શરદ પવારને બોલવામાં શું ખોટું છે? જે અમારી ઉપર આંગળી ઉઠાવી રહ્યા છે, અમે જાણીએ છીએ કે તે પણ શરદ પવારને બોલવાની કોશિશ કરી રહ્યા છે. શપથગ્રહણ પર કોઇનો એકાધિકાર નથી.
બીજી તરફ શિવસેનાએ મુખપત્ર 'સામના' માં મંગળવારે ફરી બીજેપી પર નિશાન સાધ્યું છે. સામનાનું સંપાદકીય શીર્ષક છે 'દિલ્હી ગંદી, મહારાષ્ટ્ર સ્વચ્છ! અગલા કદમ કબ? તેમા આગળ લખવામાં આવ્યું છે કે દેશ અને રાજ્યમાં શું ચાલી રહ્યું છે તેને જાણવાનો અધિકાર દરેક નાગરિકનો છે.
Sanjay Raut, Shiv Sena, in Mumbai: Chief Minister will be from Shiv Sena only. The face & politics of Maharashtra is changing, you will see. What you call 'hungama' (commotion), is not 'hungama', but the fight for justice & rights, victory will be ours. pic.twitter.com/2HEKba2bfM
તેમા સોમવારે થયેલ ગૃહ મત્રી, અમિત શાહથી ફડણવીસની મુલાકાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમા લખ્યું છે કે, મુખ્યમત્રી, અમિત શાહ સાથે મળીને સરકાર બનાવવા સંબંધિત નિવેદન આપે છે. તેનો અર્થ છે કે, નિશ્ચિત તેમણે જોડ-તોડ કરી હશે. અને બહુમતીનો આંકડો મેળવ્યો હશે.