શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં ગણતંત્ર દિવસે દિલ્હીની ઘટનાને દેશહિત વિરુદ્ધનું બતાવ્યું. પરંતુ સાથે જ લાલ કિલ્લા પર થયેલ હિંસામાં દીપ સિદ્ધુનું નામ આવાનું અને તેના ભાજપના સંબંધ પર સવાલ ઉભા કર્યાં છે.
શિવસેનાએ દિલ્હી હિંસાને દેશહિત વિરુદ્ધની બતાવી
દીપ સિદ્ધુના ભાજપ સાથેના સંબંધને લઇને સવાલ
સરકારની ખેડૂત આંદોલનને ભડકાવવાની ઇચ્છા
ખેડૂતોની પરેડથી દેશમાં આવ્યો ભૂકંપ
26 જાન્યુઆરના રોજ દિલ્હીના રાજપથ પર સવારે ગણતંત્ર દિવસની 'પરેડ' થઇ અને બપોરે ખેડૂતોની 'પરેડ'થી દેશ હલી ગયું. કાયદા વ્યવસ્થાનો ધજાગરો ઉડતો જોવા મળ્યો. ગણતંત્ર દિવસ પર આવી ઘટના થવાથી બધાને દુઃખ છે.
દીપ સિદ્ધુનો ભાજપ સાથે સંબંધ
શિવસેનાએ સવાલ ઉઠાવ્યો કે લાલ કિલ્લામાં ઘુસીને જે ભીડે હડકંપ મચાવ્યો, તે ભીડનું નેતૃત્વ કોઇ દીપ સિદ્ધુ નામના યુવક કર રહ્યો હતો. એવું સામે આવ્યું કે આ સિદ્ધુ પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહના જૂથનો છે. ભાજપના પંજાબના સાંસદ સની દેઓલના આ સિદ્ધુ સાથે નજીકના સંબંધ છે. ખેડૂત નેતાઓનું કહેવું છે કે આ શખ્સ છેલ્લા બે મહિનાથી ખેડૂતોની ભીડમાં ઘુસીના બળવાની અને અલગાવવાદની વાત કરી રહ્યો હતો.
60 દિવસથી શાંતિપૂર્ણ છે આંદોલન
સામનામાં જણાવામાં આવ્યું કે છેલ્લા 60 દિવસથી ખેડૂતોનું આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. ત્રણેય નવાકૃષિ કાયદાઓને રદ્દ કરવાની માગ લઇને ખેડૂત દિલ્હીની સરહદ પર બેઠેલા છે. તેમ છતાં ખેડૂત આંદોલનમાં કોઇપણ પ્રકારની ફૂટ પડી નથી અને ખેડૂતોનું ધૈર્ય પણ તૂટયું નથી. ખેડૂતોના આંદોલનને ખાલિસ્તાની પણ કહેવામાં આવ્યું, તેમ છતાં ખેડૂતો શાંત રહ્યાં.
સરકારની આંદોલન ભડકવાની ઇચ્છા
શિવસેનાએ કહ્યું સરકારની ઇચ્છા હતી કે ખેડૂતોને ભડકાવામાં આવે અને હિંસા કરાવીને આ આંદોલનને બદનામ કરવામાં આવે. ખેડૂતોએ કાયદો પોતાના હાથમાં લઇ લીધો, એવું કહેવુ સરળ રહે છે. પરંતુ કૃષિ કાયદાને રદ્દ કરો, એવો આક્રોશ 60 દિવસથી ચાલી રહ્યો છે. આ કાયદાને લઇને એટલું લાચાર વલણ કેમ? ખેડૂત પોતાની ભોજન બનાવીને દિલ્હીની સરહદ પર ખાઇ રહ્યાં છે. પંજાબના ખેડૂતોનું આ સ્વાભિમાની વલણ સરકારને બેચેન કરી રહ્યું છે.