મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ મોટુ નિવેદન આપ્યું છે. અને આ તમામ ધારાસભ્યો ટૂંક સમયમાં મુંબઈ પાછા ફરશે તેવો પણ દાવો કર્યો છે.
એકનાથ શિંદે હોટલ બહાર પત્રકારો સાથે વાત કરી
ટૂંક સમયમાં મુંબઈ ફરશે પાછા
શિવસેનાને અમે આગળ લઈ જઈશું-શિંદે
શિવસેનાના બળવાખોર નેતા એકનાખ શિંદેએ આજે કહ્યું કે, તેઓ મુંબઈ જશે અને બાલાસાહેબ ઠાકરેની વિરાસતને આગળ લઈ જશે. શિંદેએ ગુવાહટીની એક હોટલ બહારથી મીડિયાને જણાવ્યું હતું કે, મારી સાથે 50 લોકો છે. તે પોતાની મરજીથી અને હિન્દુત્વને આગળ લઈ જવા માગે છે. અમે ટૂંક સમયમાં મુંબઈ જવા રવાના થઈશું. આપને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે આપેલા વચગાળાના આદેશમાં શિંદે જૂથને અયોગ્ય ઠેરવતી નોટિસ પર જવાબ દાખલ કરવા માટે 12 જૂલાઈ સુધીનો સમય આપી દીધો છે.
Our spokesperson is Deepak Kesarkar, he will give you all the information. He is letting you know about our stand and role. We are speaking about Balasaheb Thackeray's Hindutva and we are carrying it forward: Eknath Shinde, in Guwahati, Assam#MaharashtraPoliticalCrisispic.twitter.com/npouqmZEsp
એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા કહ્યું કે, જે લોકો એવો દાવો કરી રહ્યા છે કે, ગુવાહટીમાં રહેલા ધારાસભ્યોમાંથી બે ડઝન જેટલા અમારા સંપર્કમાં છે, તો પછી તેમના નામની યાદી જાહેર કેમ કરતા નથી. શિંદેએ દાવો કર્યો છે કે, કુલ 50 ધારાસભ્યો તેમની સાથે છે, તેમણે ગુવાહટીમાં રહેલા તમામ ધારાસભ્યો તેમની સાથે ખુશ છે. શિંદેએ કહ્યું કે, ટૂંક સમયમાં અમે આગળની રણનીતિ વિશે બધાને જણાવીશું અને મુંબઈ પાછા ફરીશું
No MLA is suppressed here, everyone here is happy. MLAs are with us. If Shiv Sena says that the MLAs present here are in contact with them, they should reveal the names: Eknath Shinde, in Guwahati, Assam#MaharashtraPoliticalCrisispic.twitter.com/tDN8B4xQVD
એકનાથ શિંદેએ કહ્યું કે, અમે લોકો શિવસેનાને આગળ લઈ જઈશું અને અમે શિવસેનામાં જ છીએ. તેમણે કહ્યું કે, તમામ ધારાસભ્ય પોતાની મરજીથી ગુવાહટી આવ્યા છે. શિંદેએ કહ્યું કે, અમે હિન્દુત્વના મુદ્દાને લઈને આગળ આવી રહ્યા છીએ.