વડોદરામાં શિવસેના દ્વારા લવરાત્રી ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો. સલમાન ખાનના બેનર હેઠળ બનાવવામાં આવેલી ફિલ્મનો શિવસેનાએ વિરોધ કર્યો હતો. ધાર્મિક લાગણી ન દુભાય તે માટે શિવસેનાએ આઈનોસ મલ્ટીપ્લેક્ષમાં ફિલ્મ રિલીઝ ન કરવા રજૂઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે અગાઉ આ ફિલ્મનું પ્રમોશન કરવા આવેલા એક્ટર આયુષ્ય શર્માનો વિરોધ કરવામાં આવ્યો હતો. નવરાત્રી પરથી લવરાત્રી ફિલ્મનું નામ રાખવામાં આવ્યું છે. ફિલ્મમાં હિન્દુ સમાજની લાગણી દુભાઈ હોવાના આક્ષેપ સાથે ફીલ્મના પ્રમોશનનો વિરોધ કરવામ આવ્યો હતો.
ફિલ્મનું પ્રમોશન કરવા આવેલા એક્ટર આયુષ્ય શર્માનો કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. લવરાત્રી ફિલ્મમાં આયુષ્ય શર્મા લીડ રોલમાં છે. આપને જણાવી દઇએ કે ગુજરાતનાં ગરબા અને નવરાત્રીનાં બેક ગ્રાઉન્ડમાં અભિનેતા સલમાનખાન દ્વારા નિર્માણ પામેલ લવરાત્રી ફિલ્મનો વડોદરામાં પહેલાથી જ વિરોધ થઈ રહ્યો છે.