મુંબઇ: શિવાજી પાર્ક અને શિવસેના ભવન પાસે શિવસેના દ્વારા ચલો અયોધ્યાના મોટા મોટા પોસ્ટર લગાવાયા છે. શિવાજી પાર્ક મેદાનમાં દર વર્ષે યોજાનારી શિવસેનાની પરંપરાગત દશેરાની રેલીના બે દિવસ પહેલા લગાવાયેલા પોસ્ટરથી સ્પષ્ટ થાય છે કે શિવસેના આ વખતે હિન્દુત્વ મુદ્દે ભાજપને પછાડવાનો પ્રયાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે પાછલા કેટલાક દિવસોમાંએ શિવસેનાએ ના તો ફક્ત રામ મંદિર પણ કલમ 370 અને કોમન સિવિલ કોડ મુદ્દે પણ ભાજપ પર નિશાન સાધ્યુ હતું. ત્યારે એવું પણ ચર્ચાઈ રહ્યુ છે કે શિવસેના હિન્દુત્વ મુદ્દે મહારાષ્ટ્રની બહાર પણ પોતાનો વિસ્તાર વધારવા માગે છે.
શિવસેનાના એક મોટા નેતાએ આ માટે કહ્યું છે કે છેલ્લા ચાર વર્શમાં ભાજપ જે રીતે મહારાષ્ટ્રમાં શિવસેનાને ખતમ કરવાનો પ્રયત્ન ક્યો છે એનાથી શિવસેના સતર્ક થઇ ગઇ છે. શિવસેનાના આ નેતાનું એવું પણ માનવું છે કે મહારાષ્ટ્રથી બહાર શિવસેનાના વિસ્તાર માટે ઉદ્ધવ ઠાકરેથી વધારે આદિત્ય ઠાકરે વધારે ઉત્સાહિત છે.
ધ્યાન આપવાની વાત એ છે કે શિવસેનાએ શિવાજી પાર્ક અને શિવસેના ભવન પરિસરમાં જે પોસ્ટર લગાવ્યા છે એમાં ભગવાન રામનું એ ચિત્ર છે જે આજ પહેલા વિશ્વ હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ રામ જન્મભૂમિ મંદિર આંદોલનથી જોડાયેલા પોતાના પ્રચાર સાહિત્ય અને બેનર પોસ્ટરોમાં ઉપયોગ કરતું રહ્યું છે.