મહારાષ્ટ્રમાં સરકાર બનવાને લઇને હવે જાણે પિક્ચર ક્લિયર થઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ લાંબી કવાયત બાદ શિવસેના, કોંગ્રેસ અને NCP વચ્ચે સરકાર બનવાને લઇને ડ્રાફ્ટ તૈયાર થઇ ગયો છે. ત્રણેય પક્ષ વચ્ચે થયેલી સમજૂતિ અનુસાર શિવસેનાનો મુખ્યમંત્રી પૂર્ણ કાર્યકાળમાં રહેશે. જ્યારે કોંગ્રેસ અને NCPના ખાતામાં એક-એક ડેપ્યુટી સીએમ પદ આવશે.
શિવસેનાનો પૂર્ણ કાર્યકાળ સુધી રહેશે મુખ્યમંત્રી
કોંગ્રેસ-NCPના ખાતામાં ઉપમુખ્યમંત્રી પદ
NCPના 14 અને કોંગ્રેસના 12 મંત્રીઓ હશેઃ સૂત્ર
સૂત્રોને મળતી જાણકારી મુજબ સરકાર બનાવાને લઇને મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCP વચ્ચે સતત વાતચીતનો દોર જોવા મળી રહ્યો છે. ત્રણેય પક્ષ વચ્ચે કોમન મિનિમમ પ્રોગ્રામ (CMP)ને લઇને સમજૂતિ બની ગિ છે.
આ સમજૂતિ હેઠળ શિવસેનાને 5 વર્ષ સુધી મુખ્યમંત્રી પદ મળશે, જ્યારે રાષ્ટ્રવાદ કોંગ્રેસ પાર્ટી (NCP)ના 14 અને કોંગ્રેસના 12 મંત્રીઓ પદભાર સંભાળશે. જ્યારે શિવસેનાના ખાતામાં મુખ્યમંત્રી સહિત 14 મંત્રીનો પદભાર મળ્યો છે.
સાવરકરને ભારત રત્ન આપવાની કરાઇ માગ
સૂત્રોને મળતી જાણકારી મજુબ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને NCP નેતા શરદ પવાર વચ્ચે મુલાકાત થઇ શકે છે. જો કે ત્રણેય પક્ષ વચ્ચે સમજૂતિમાં હાલ હિંદુત્વ મુદ્દાનો સમાવેશ કરાયો નથી.
CMP પર ખેડૂતો અને યુવાઓ સાથે જોડાયેલ મુદ્દાઓ પર ફોક્સ પર સમજૂતિ બની ગઇ છે. જ્યારે સમજૂતિમાં શિવસેનાએ વિનાયક દામોદર સાવરકરને ભારત રત્ન આપવાની માગ કરી છે. જ્યારે કોંગ્રેસ-NCPએ મુસલમાનોને 5 ટકા આરક્ષણ આપવાની માગ કરી છે.