મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે શિવસેના, NCP અને કોંગ્રેસ પોતાના 162 ધારાસભ્યોની પરેડ કરાવશે. મળતી માહિતી અનુસાર, હયાત હોટલમાં આજે મીડિયાની સામે ત્રણ દળોના 162 ધારાસભ્યોની પરેડ થશે. જણાવી દઇએ કે ત્રણેય દળોના ધારાસભ્યોને હાલ અલગ-અલગ હોટલમાં રાખવામાં આવ્યા છે. શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ પોત-પોતાના ધારાસભ્યો પર નજર રાખેલ છે.
મુંબઈની હયાત હોટલમાં ધારાસભ્યોનું શક્તિ પ્રદર્શન
અજિતને પાર્ટીમાંથી કાઢવાનો નિર્ણય લીધોઃ શરદ પવાર
અમે હવે બતાવીશું, શિવસેના શું છેઃ ઉદ્ધવ ઠાકરે
NCPને સતાવી રહ્યો છે રાષ્ટ્રપતિ શાસનનો ડર
NCPને ફડણવીસ સરકાર ભંગ કરવા અને પોતાના ગઠબંધનની સરકાર બનાવવાનો દંભ ભરી રહી છે. બીજી તરફ તે પ્રદેશમાં ફરી રાષ્ટ્રપતિ શાસન લાગનાનો ડર સતાવી રહ્યો છે. એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે સત્ય કહીએ તો અમને આ ડર છે. એઠલા માટે પણ અમે સમર્થન પત્ર પર પ્રદેશ અધ્યક્ષના હસ્તાક્ષર કરાવ્યા છે. તેમણે કહ્યું કે ધારાસભ્ય દળના નેતાનો અધિકાર સંસદ સુધી સીમિત રહે છે.
અજિત પવારને શુભેચ્છા, તમારૂં કામ થઇ ગયુંઃ અબુ આઝમી
સપા ધારાસભ્ય અબુ આઝમીએ કહ્યું કે ફ્લોર ટેસ્ટમાં પણ અમે એક રહીશું. તેમણે કહ્યું કે જેટલા ધારાસભ્ય અહીં હાજર હતા, તેમાંથી એક પણ ક્યાંય નહીં જાય. તેમણે અજિત પવારને શુભેચ્છા આપી અને કહ્યું કે હવે તમારૂ કામ થઇ ગયું તમામ કેસ હટી ગયા. હવે આવી જાઓ અને કાકા સાથે સરકાર બનાવીએ.
હયાત હોટલમાં ત્રણેય પક્ષોના શક્તિ પ્રદર્શન પર ભાજપના નેતા આશીષ સેલ્લારે કહ્યું- ફોટો તમારો, ફોટોગ્રાફર તમારા, પરંતુ આનું ફિનિશિંગ ટચ અમે આપીશું. તેમણે કહ્યું કે, આજે બાલાસાબહેબના દીકરાએ એ સોગંધ લીધા છે કે અમને સોનિયા ગાંધીનું નેતૃત્વ સ્વીકાર છે. આ બાલાસાહેબ ઠાકરેનું સૌથી મોટું અપમાન છે.
શિવસેના, એનસીપી અને કોંગ્રેસે નેતાઓની હાજરીમાં 162 ધારાસભ્યોએ એક થવાના શપથ લીધા. ધારાસભ્યોને ત્રણ નેતાઓના નામ લઇને ખોટી નિયતથી કોઇ કામ નહીં કરીએ, ભાજપનું સમર્થન નહીં કરવાના શપથ અપાવ્યા. આ દરમિયાન બાબા સાહેબ આંબેડકર અને છત્રપતિ શિવાજી મહારાજના નારા પણ લાગ્યા.
#WATCH Mumbai: Shiv Sena-NCP-Congress MLAs assembled at Hotel Hyatt take a pledge, "I swear that under the leadership of Sharad Pawar, Uddhav Thackeray & Sonia Gandhi, I will be honest to my party. I won't get lured by anything. I will not do anything which will benefit BJP". pic.twitter.com/CV8VhOmKl1
હવે બદલશે દેશનો ઇતિહાસ, મહારાષ્ટ્રથી શરૂઆતઃ શરદ પવાર
શરદ પવારે કહ્યું કે ગઠબંધન માત્ર થોડા સમય માટે નહીં, લાંબા સમય સુધી છે. ભાજપને નિશાને લેતા તેમણે કહ્યું કે જે લોકો કેન્દ્રમાં છે તેમણે વધુ એક રાજ્યમાં આ કામ કર્યું હતું. આ તેમને ઇતિહાસ છે. તેમણે ખોટી રીતે આ સરકાર બનાવી છે. પવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં કુલ 288 બેઠકો છે. સૌથી વધુ જીતેલા ધારાસભ્યો અહીં છે. કર્ણાટક, ગોવા, મણિપુરમાં બહુમતિ ન હોવાથી તેમણે પાવરનો દુરૂપયોગ કરી સરકાર બનાવી.
અજિતને પાર્ટીમાંથી કાઢવાનો નિર્ણય લીધોઃ શરદ પવાર
અજિત પવારને લઇને પ્રથમ વખત ખુલીને બોલતા શરદ પવારે કહ્યું કે, તેમને ધારાસભ્ય દળના નેતા પસંદ કરાયા હતા, તેમણે તેનો દુરૂપયોગ કર્યો, સૌને ગુમરાહ કર્યા, તેમણે કહ્યું કે વ્હિપનું ઉલ્લંઘન કરતા કાર્યવાહી થશે. અમે અજિતને પાર્ટીમાંથી કાઢવાનો નિર્ણય લઇ લીધો છે. પવારે કહ્યું કે અમે કાયદા અને વિશેષજ્ઞોની પણ સલાહ લીધી છે. અજિતને કાઢ્યા બાદ કોઇ નિર્ણય ન લઇ શકે. ત્રણેય પાર્ટીઓ મળીને નિર્ણય લેશે. આ ગોવા મણિપુર નહીં મહારાષ્ટ્ર છે. રાજ્યપાલ અમારી વાત જરૂર સાંભળશે.
અમે હવે બતાવીશું, શિવસેના શું છેઃ ઉદ્ધવ ઠાકરે
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે છેલ્લા 25-30 વર્ષોથી તમારી સાથે હતા, ત્યારે તમે સમજી ન શક્યા. હવે અમે જણાવીશું કે શિવસેના શું વસ્તુ છે. તેમણે કહ્યું કે અમે માત્ર 5 વર્ષ સરકાર બનાવવા માટે નહીં, લાંબા સમય સુધી ચલાવવા માટે સાથે આવ્યા છીએ.
માત્ર 162 નહીં, આનાથી વધુ આપણે છીએ
પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણે ધારાસભ્યોની પરેડને સંબોધિત કરતા કહ્યું કે માત્ર 162 નહીં, 162થી વધુ છે. મહાઅઘાડીની જ સરકાર બનશે અને અમે સ્થિર સરકાર આપીશું. તેમણે કહ્યું કે અમે રાજભવન ગયા અને 162 ધારાસભ્યોની ચિઠ્ઠી તેમને સોંપી છે. જનતાના પસંદ કરાયેલા ધારાસભ્યો અહીં બેઠા છે. કોઇ બીજાને મોકો ન મળવો જોઇએ.
શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે અને તેમના દીકરા આદિત્ય ઠાકરે હોટલ ગ્રાન્ડ હયાત પહોંચ્યા છે. તેમની સાથે એનસીપી સાંસદ સુપ્રિયા સુલે પણ દેખાઇ રહી છે. ત્રણેય પાર્ટીના ધારાસભ્યો અહીં હાજર છે. તેઓ ધારાસભ્યો અને નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે.
શરદ પવાર અને સુપ્રિયા સુલે પણ ગ્રાન્ડ હયાત હોટલ પહોંચી ચૂક્યા છે. જોકે શિવસેનાના ધારાસભ્યોની બસ હયાત હોટલ પહોંચી છે. શિવસેના નેતા સંજય રાઉતે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે 7 વાગ્યે હોટલમાં 162 ધારાસભ્ય એક સાથે દેખાશે.
Mumbai: NCP's Sharad Pawar & Supriya Sule arrive at Grand Hyatt Hotel. Shiv Sena's Sanjay Raut had tweeted earlier, 'Watch our 162 (MLAs) together for the first time at Grand Hyatt at 7 pm, come and watch yourself Maharashtra Governor.' pic.twitter.com/DS7bUEYkw9
મુંબઇની હોટલ ઝેડબ્લ્યૂ મેરિએટથી કોંગ્રેસ વિધાયક પણ હોટલ ગ્રાન્ડ હયાત જવા માટે રવાના થઇ ગયા છે. એનસીપીના ધારાસભ્યો પહેલાથી જ હોટલ હયાતમાં રોકાયેલ છે.
મહત્વનું છે કે, કોંગ્રેસ, NCP અને શિવસેનાના નેતાઓએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. ત્રણેય પાર્ટીઓ સાથે મળીને સમર્થન પત્ર રાજ્યપાલને સોંપ્યું છે. કોંગ્રેસ, NCP અને શિવસેનાના નેતાઓએ સમર્થન પત્રમાં 162 ધારાસભ્ય હોવાનો ઉલ્લેખ કર્યો છે.
NCP નેતા જયંત પાટીલે કહ્યું કે અમે રાજ્યપાલને મળ્યા છીએ, હાલની સરકારને સ્થગિત કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. અમને સરકાર બનાવવા આમંત્રણ આપવાની માગ કરી છે.
સંજય રાઉતનું ટ્વિટ- અમે સૌ એક
શિવસેના પ્રવક્તા સંજય રાઉતે સોમવારે ટ્વિટ કરીને કહ્યું કે અમે સૌ એક છીએ. તમે અમારા 162 ધારાસભ્યોને પ્રથમ વખત હયાત હોટલમાં સાંજે 7 વાગ્યે જોઇ શકશો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પરેડ કરાવવાનો નિર્ણય ત્રણેય પાર્ટીઓના નેતા વચ્ચે થયેલ બેઠકમાં લેવામાં આવ્યો છે. સંજય રાઉતે પોતાના ટ્વિટમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પણ ટેગ કર્યા છે. તેમણે લખ્યું કે આવો અને અમને એક સાથે જોઇ શકો છો.
We are all one and together , watch our 162 together for the first time at grand Hyatt at 7 pm , come and watch yourself @maha_governorpic.twitter.com/hUSS4KoS7B
સુપ્રીમ કોર્ટ શક્તિ પરીક્ષણ પર આવતીકાલે પોતાનો ચૂકાદો સંભળાવવા જઈ રહી છે. ત્યારે બંને પક્ષોએ પોત-પોતાનો દાવો પણ રજૂ કર્યો છે. જેમાં ભાજપનો દાવો છે કે, અમારી પાસે ભાજપના 105 ધારાસભ્યો, અજીત પવારના 54 ધારાસભ્યો અને અન્ય પક્ષોના 11 ધારાસભ્યો છે.
જ્યારે બીજી તરફ શિવસેના-NCP અને કોંગ્રેસનો દાવો છે કે, અમારી પાસે શિવસેના 56, NCPના 50, કોંગ્રેસના 44 અને અન્ય પક્ષોના 12 ધારાસભ્યોનું સમર્થન છે. હાલ તો બંને પક્ષો પોત-પોતાની પાસે બહૂમત હોવાના દાવા કરી રહ્યા છે. પરંતુ કોની પાસે સત્તા બનાવવા માટે પુરતી તાકાત છે તે તો શક્તિ પરીક્ષણમાં જ સામે આવશે.