મહારાષ્ટ્રમાં બીજેપી-શિવસેનાની વચ્ચે ઘર્ષણની અસર કેન્દ્રની રાજનીતિથી લઇને સંસદ સુધી દેખાઇ રહી છે. શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતની બેઠક ગૃહમાં બદલવામાં આવી છે. તેના પર રાઉતે સભાપતિ વેકૈંયા નાયડુ (Venkaiah Naidu) ને પત્ર લખીને આશ્ચર્ય પ્રકટ કર્યો અને આરોપ લગાવ્યો કે આ શિવસેનાની ભાવનાને ઠેસ પહોંચાડવા માટે કરવામાં આવ્યું છે.
બીજેપી-શિવસેનાની વચ્ચે ઘર્ષણની અસર કેન્દ્રની રાજનીતિથી લઇને સંસદ સુધી પહોંચી
શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતની બેઠક ગૃહમાં બદલવામાં આવી
શિવસેનાએ કહ્યું, આ શિવસેનાની ભાવનાને ઠેસ પહોંચાડવા માટે કરવામાં આવ્યું
હજુ NDAથી અલગ થવાનું ઔપચારીક એલાન બાકી : રાઉત
શિવસેના સાંસદે રાજ્યસભાના સભાપતિને લખેલા પત્રમાં કહ્યું, 'જાણીને હેરાન છું કે રાજ્યસભામાં મારી બેઠક બદલીને ત્રીજીથી પાંચમી પંક્તિમાં કરી દેવાઇ છે. કોઇએ આ નિર્ણય જાણી-જોઇએ શિવસેનાની સંવેદનાને ઠેસ પહોંચાડવા અને અમારી અવાજ દબાવવા માટે કર્યો છે. રાઉતે પત્રમાં કહ્યું કે હાલ શિવસેનાનું એનડીએથી અલગ થવાનું સત્તાવાર એલાન થયું નથી. તેમણે આ પગલાને રાજ્યસભાની ગરિમા પર પ્રહાર બતાવ્યું.
આ પગલાથી ગૃહની મર્યાદા પર પ્રહાર : રાઉત
રાઉતે લખ્યું, મને આ અનપેક્ષિત પગલાનું કારણ એટલા માટે પણ નથી સમજાતુ, કેમકે (શિવસેના ને) એનડીએથી હટાવવાની હાલ ઔપચારિક જાહેરાત નથી થઇ. આ નિર્ણયથી ગૃહની ગરિમાને ઠેસ પહોંચી છે. શિવસેના સાંસદે સભાપતિને ફરી વાર પહેલી, બીજી અથવા ત્રીજી પંક્તિમાં બેસવાની અનુમતિ આપવાની માંગ કરી છે.
તેમણે કહ્યું કે, આ પંક્તિઓમાંથી કોઇ એકમાં તેમના બેસવાની વ્યવસ્થા કરી ગૃહની મર્યાદા યથાવત રાખવામાં આવે. નોંધનીય છે કે, રાજ્યસભામાં સદસ્યોની સિટિંગ એરેજમેન્ટ સભાપતિની મરજી મુજબ થાય છે. આ સંબંધમાં નિયમ રાજ્યસભાની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.