શિવસેના-કંગના રનૌત વિવાદમાં અમદાવાદની એન્ટ્રી થઇ છે. ત્યારે સંજય રાઉતની વિવાદીત ટીપ્પણી પર ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે આકરા પ્રહાર કર્યા છે.
શિવસેના-કંગના રનૌત વિવાદમાં અમદાવાદની એન્ટ્રી
ભાજપના નેતા અલ્પેશ ઠાકોરનું મોટું નિવેદન
સંજય રાઉત ગુજરાતની માફી માંગે: અલ્પેશ ઠાકોર
શિવસેના-કંગના રનૌત વિવાદમાં અમદાવાદની એન્ટ્રી થઇ છે. ત્યારે સંજય રાઉતની વિવાદીત ટીપ્પણી પર ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે આકરા પ્રહાર કર્યા છે.
સંજય રાઉતનું મોં કાળું કરીશ: અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોરે કહ્યું કે સંજય રાઉત ગુજરાતની માફી માંગે. સંજય રાઉતનું મોં કાળું કરીશ. અમદાવાદ દાનવીરો અને પરાક્રમીની ભૂમિ છે. સંજય રાઉતને આવું બોલતા પહેલા શરમ આવી જોઈએ.
કંગના પર પ્રહાર કરવામાં ભાન ભૂલી ગયા સંજય રાઉત
બોલિવૂડ અભિનેત્રી કંગનાએ મુંબઈની તુલના પાકિસ્તાનના કબ્જા હેઠળના પાકિસ્તાન સાથે કરી હતી. તે બાદ હવે સંજય રાઉતે કહ્યું કે તે યુવતી મહારાષ્ટ્રથી માફી માંગશે તો હું વિચાર કરીશ. સાથે જ તેમણે સવાલ કર્યો કે મુંબઈને મીની પાકિસ્તાન કહી રહી છે શું તેનામાં હિંમત છે અમદાવાદ વિશે આવું કહેવાની ?
સંજય રાઉત શું કહેવા માગે છે કે અમદાવાદમાં પાકિસ્તાન જેવી સ્થિતિ છે?
શિવસેના નેતા સંજય રાઉત વાતવાતમાં અમદાવાદ પર પ્રહાર કરી ગયા. કંગના પર પ્રહાર કરવા ગયેલા સંજય રાઉત જાણે ભાન ભૂલી ગયા હોય તેમ ગુજરાતની અસ્મિતા પર પ્રહાર કરી રહ્યા છે. શિવસેના નેતા સંજય રાઉત પોતાના વિવાદિત નિવેદનોથી સતત ચર્ચામાં રહે છે.અને આ વખતે તેમણે અમદાવાદ પર પ્રહાર કર્યા છે. ત્યારે અમદાવાદીઓ સવાલ કરી રહ્યા છે કે શું આ સત્તાનો નશો બોલી રહ્યો છે. સંજય રાઉત કહેવા માંગે છે કે અમદાવાદમાં પાકિસ્તાન જેવી સ્થિતિ છે ?
વર્તમાનમાં સુશાંત કેસ મુદ્દે ચાલી રહ્યો છે વિવાદ
રાજ્યસભા સાંસદ સંજય રાઉતે આ પહેલા કહ્યું હતું કે જે શહેરમાં કંગના રહે છે, જ્યાં તમે કમાઓ છો. ત્યાની પોલીસ વિશે જેમતેમ બોલવાની વાતો કરી ર્હ્હી છે. મુંબઈ પોલીસે હુમલાઓમાં લોકોને બચાવ્યા છે. કસાબને પકડ્યો છે. કોરોના સંકટમાં 50થી વધારે પોલીસકર્મીઓએ પોતાના જીવ આપી દીધા અને તે પોલીસ વિશે આ બધું બોલી રહી છે.