શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું છે કે જો નાથુરામ ગોડસે હિન્દુત્વવાદી હોય તો તેણે મોહમ્મદ અલી ઝીણાને ગોળી મારી દેવી જોઈએ
સંજય રાઉતે મહાત્મા ગાંધીની પુણ્યતિથી પર પ્રતિક્રીયા આપી
નાથુરામ ગોડસે હિન્દુત્વવાદી હોત તેણે ઝીણાને ગોળી મારવી હતી
ગાંધીજીની પુણ્યતિથિ પર હિન્દુત્વ મુદ્દો છવાયો
#WATCH Formation of Pakistan was Jinnah's demand. If there was a real 'Hindutvawadi', then he/she would've shot Jinnah, not Gandhi. Such an act would've been an act of patriotism. The world even today mourns Gandhi Ji's death: Sanjay Raut, Shiv Sena pic.twitter.com/f0uJUvUjRB
સંજય રાઉતે મહાત્મા ગાંધીની પુણ્યતિથી પર પ્રતિક્રીયા આપી
શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, જો તેઓ સાચા હિંદુત્વવાદી હોત તો તેમણે ઝીણાને ગોળી મારી હોત, ગાંધીજીને કેમ ગોળી મારી ? પાકિસ્તાનની માંગ ઝીણાની હતી. જો તમે શક્તિશાળી હોત, તો હું માનું છું કે, પાકિસ્તાનની માંગણી કર્યા પછી, તેણે (ઝીણા) જઈને ગોળી મારી દીધી હોત, તે દેશભક્તિનું કૃત્ય હતું. ગાંધીજી જેવા ફકીરને ગોળી મારવીએ યોગ્ય ન હતું. આખી દુનિયા તેનાથી દુખી છે.
एक हिंदुत्ववादी ने गाँधी जी को गोली मारी थी।
सब हिंदुत्ववादियों को लगता है कि गाँधी जी नहीं रहे।
મહાત્મા ગાંધીની પુણ્યતિથી પર આખો દેશ તેમને નમન કરી રહ્યો છે
ઉલ્લેખનયી છે કે, સંજય રાઉતના નિવેદન પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. રાહુલ ગાંધીએ પણ હિંદુત્વવાદી શબ્દનો ઉપયોગ કરીને ગાંધીને યાદ કર્યા હતાં. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, એક હિન્દુત્વવાદીએ ગાંધીને ગોળી મારી, તમામ હિંદુત્વવાદીઓને લાગે છે કે, ગાંધીજી રહ્યાં નથી. જ્યાં સત્ય છે, ત્યાં બાપુ હજી જીવે છે. મહત્વનું છે કે, આજે મહાત્મા ગાંધીને 74મી પુણ્યતિથિ છે. એટલે કે, આ દિવસે નથુરામ ગોડસે મહાત્મા ગાંધીને ગોળી મારી હતી. મહાત્મા ગાંધીની પુણ્યતિથી પર આખો દેશ તેમને નમન કરી રહ્યો છે