મળતી માહીતિ અનુસાર ધારાસભ્યોએ મુખ્યમંત્રી પદને લઈને ઠાકરે પરિવારના નિર્ણય પર પ્રશ્નો થઈ રહ્યા છે. ધારાસભ્યોને પૂછવામાં આવ્યું કે એક પદ જેનાથી ફક્ત ઠાકરે પરિવારને ફાયદો થશે, તેના માટે થઈને આખી પાર્ટીને શા માટે આ રીતે રાખવામાં આવે છે.
શિવસેનાના ધારાસભ્યો વચ્ચે મારામારી
ઉદ્ધવ ઠાકરેનો નિર્ણય પડ્યો ભારે
હોટલમાં રહેતા ધારાસભ્યોને મળ્યા ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના લઈને કવાયત ચાલી રહી છે ત્યારે શિવસેનામાં પણ ઉથલપાથલની ઘટનાઓ સર્જાવવાની શરૂઆત થઈ છે. મળતી માહીતિ અનુસાર હોટલમાં રાખવામાં આવેલા ધારાસભ્યોએ પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર પોતાના ક્ષેત્રમાં જવા માટેનું પ્રેશર મૂક્યું છે. રિપોર્ટના આધારે ધારાસભ્યોની વચ્ચે મારામારીની સ્થિતિ આવી ગઈ હતી. જેના કારણે ઉદ્ધવ ઠાકરે ત્વરિત રીતે હોટલ પહોંચ્યા હતા.
ફાયદો ફક્ત ઠાકરે પરિવારને
મળતી માહીતિ અનુસાર ધારાસભ્યોમાં ખટરાગના સમાચાર મળતાં જ મુખ્યમંત્રી પદના દાવેદાર અને વર્લીના ધારાસભ્ય આદિત્ય ઠાકરે પણ તરત જ હોટલ પહોંચ્યા હતા. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેને પણ હોટલ જવું પડ્યું હતું. ધારાસભ્યોએ મુખ્યમંત્રી પદને લઈને ઠાકરે પરિવારના નિર્ણય પર પણ પ્રશ્નો કર્યા હતા. તેઓએ પૂછ્યું કે એક પદ જેનાથી ફક્ત ઠાકરે પરિવારને ફાયદો થશે. તો પછી આખી પાર્ટીને શા માટે આ રીતે રાખવામાં આવે છે.
ધારાસભ્યોએ ઉદ્ધવને પૂછ્યા પ્રશ્નો
NCP ચીફ શરદ પવારની સાથેની ઉદ્ધવ ઠાકરેની મુલાકાતને લઈને શિવસેનાના ધારાસભ્યો ખુશ નથી. એક ધારાસભ્યએ ઉદ્ધવને ચેતવણી આપી કે પવાર ક્યારેય તેમને સત્તા પર આવવા દેશે નહીં. ધારાસભ્યોએ ઠાકરેને એ પણ પૂછ્યું કે મતદાતાઓને તેઓ કેવી રીતે જણાવશે કે શા માટે તેઓને તે જ પાર્ટીઓનો સહારો લીધો જેની વિરુદ્ધમાં તેઓએ ચૂંટણી લડી હતી.
ઉલ્લેખનીય છે કે બીજેપી અને શિવસેનામાં મુખ્યમંત્રી પદને માટે ભાગ માટે ચાલી રહેલું ગઠબંધન ચૂંટણી બાદ તૂટી ગયું હતું. હવે સરકાર બની શકે તેમ નથી. ત્યાર બાદ જ શિવસેનાને પોતાના ધારાસભ્યોના વિખેરાઈ જવાનો ડર હતો, જેના કારણે એનડીએથી અલગ થતાં પહેલાં જ જીતેલા સભ્યોને હોટલમાં રાખવામાં આવ્યા હતા.