મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેનું અયોધ્યા મુલાકાતની એક દિવસ પહેલા શિવસેનાની તરફથી રામ મંદિરને લઇને મોટી માગણી કરી છે. શિવેસના તરફથી જણાવામાં આવ્યું છે કે રામ મંદિરનું આંદોલનમાં તત્કાલિન શિવસેના પ્રમુખ બાલાસાહેબ ઠાકરેના નેતૃત્વમાં પાર્ટીની મહત્વની ભૂમિકા રહેલી છે, એવામાં રામ મંદિર ટ્રસ્ટમાં શિવસેના તરફથી એક વ્યક્તિ સામેલ કરવામાં આવે. આ સંબંધમાં શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઇકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.
આજ અયોધ્યાની મુલાકાતે જઇ શકે છે ઉદ્ધવ ઠાકરે
શિવસેનાની તરફથી રામ મંદિરને લઇને મોટી માગણી કરી છે
રામ મંદિર ટ્રસ્ટમાં શિવસેના તરફથી એક વ્યક્તિ સામેલ કરવામાં આવે
આજ અયોધ્યાની મુલાકાતે જઇ શકે છે ઉદ્ધવ ઠાકરે
ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરે આજરોજ પોતાના પરિવાર સાથે ભગવાન રામના દર્શન માટે અયોધ્યા જશે. શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અયોધ્યાની મુલાકાત લેશે અને મહા વિકાસ અઘાડી (MVA) સરકારના 100 દિવસ પુરા થવા પર રામ ભગવાનની પૂજા કરશે.
ઉદ્ધવ ઠાકરે અહીં રામલલાના દર્શન પણ કરશે. ઉદ્ધવ ઠાકરેએ લોકસભા ચૂંટણી પહેલા પણ અયોધ્યાની મુલાકાત લીધી હતી. 28 નવેમ્બર 2019નો પદભાર સંભાળનાર ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિર નિર્માણ માટે કેન્દ્ર સરકાર દ્વારા ટ્રસ્ટના ગઠનની જાહેરાત કર્યા બાદ અયોધ્યાની મુલાકાતે કરી રહ્યાં છે.
Shiv Sena MLA Pratap Sarnaik has written a letter to Prime Minister Narendra Modi saying 'to nominate at least one Shiv Sena member as trustee of Ram Mandir Trust, considering the contribution made by the party led by Bal Thackeray to Ram Mandir movement'. #Maharashtrapic.twitter.com/Pa5VSTT64k
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની 7 માર્ચના રોજ અયોધ્યા યાત્રા પહેલા શિવસેના સભ્ય ગુરૂવારથી બપોર લોકસમાન્ય તિલક ટર્મિનસ (LTT) ત્યાંથી રવાના થઇ ગયા છે. રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે 18 કોચવાળી વિશેષ રેલગાડીને કોઇ વિશેષ વ્યકિતને IRCTC મારફતે મુંબઇ થી અયોધ્યા અને પરત માટે બુક કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે શિવસૈનિકોને લઇને જવાવાળી ગાડી અંદાજે 45 મિનીટ મોડી રવાના થઇ ગઇ.