મહારાષ્ટ્રમાં નવી સરકારના ગઠનને લઇને રાજકીય ખેંચતાણ યથાવત છે. સૌની નજર એનસીપી પર ટકી છે. શરદ પવારની પાર્ટી એનસીપી સરકારનું નેતૃત્વ કરવાના મુડમાં નથી કેમકે તેને કોઇપણ સંજોગોમાં શિવસેનાનું સમર્થન લેવુ પડશે અને ઉદ્ધવ ઠાકરે સીએમ પોસ્ટને લઇને અડગ છે. સૂત્રોનું કહેવું છે કે એવી સ્થિતિમાં શિવસેનાના નેતૃત્વમાં એનસીપીની ગઠબંધન સરકાર બનવાની સંભાવના બની રહી છે. જેને કોંગ્રેસ બહારથી સમર્થન આપે.
મહારાષ્ટ્રમાં નવી સરકારના ગઠનને લઇને રાજકીય ખેંચતાણ
શરદ પવારની પાર્ટી એનસીપી સરકારનું નેતૃત્વ કરવાના મુડમાં નથી
આજે સાંજ સુધીમાં એનસીપીએ સરકાર બનાવવાનો દાવો રજુ કરવાનો છે. જો તેમની તરફથી પણ ના કહેવામાં આવે છે તો રાજ્યપાલ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી શકે છે. જોકે એક્સપર્ટ્સનું કહેવું છે કે એક સ્થિતિ ત્યારે પણ બની રહેશે. જો કોંગ્રેસના સમર્થનનો પત્ર રાજભવન પહોંચી જાય તો રાજ્યપાલ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે શિવસેના અને એનસીપીને એક સાથે આમંત્રિત કરી શકે છે.
સરકાર બનાવવાને લઇને શિવસેના પાસે શક્યતા
સ્પષ્ટ છે કે શિવસેના માટે શક્યતા હજુ બચી છે. કોંગ્રેસની શિવસેના સાથે પાવર શેયરને લઇને સ્પષ્ટતા ન થવાને કારણે કદાચ અચકાઇ રહી છે. જે આજે કદાચ બેઠકો બાદ દૂર થઇ શકે છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી સાથે કોંગ્રેસનો વૈચારિક વિરોધ રહ્યો છે. એવામાં તેને શરતો પર વધારે ધ્યાન આપવુ પડશે. આ કારણે જ સોમવારે રાજ્યપાલ દ્વારા આપવામાં આવેલી ડેડલાઇન છતા શિવસેના કોંગ્રેસ પાસે સમર્થન પત્ર ન મેળવી શકી.
એનસીપી સરકાર બનાવવાને લઇને નથી વધારે ઉત્સુક
સૂત્રોનું કહેવું છે કે શિવસેના મુખ્યમંત્રી પદની માંગ પર અડગ છે. એવી સ્થિતિમાં એનસીપી સરકાર બનાવવાને લઇને ઉત્સુક નથી. એનસીપીને સરકાર ગઠનને લઇને અનિવાર્ય પણે શિવસેનાના સમર્થનની જરૂર પડશે. ત્યારે એનસીપી આગળ આવીને સરકારને લીડ કરવાના મુડમાં હાલ નજરે પડી રહી નથી.
કોંગ્રેસને વિશ્વાસ, રાષ્ટ્રપતિ શાસનની સ્થિતિ નહીં બને
કોઇપણ પાર્ટી દ્વારા બહુમત સાબિત નહીં કરી શકવાની સ્થિતિમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાની આશંકા છે. એવી સ્થિતિમાં રાજ્યપાલ વિધાનસભા ભંગ કરી રાષ્ટ્રપતિ શાસની ભલામણ કરી શકે છે. કોંગ્રેસ નેતાઓને આશા છે કે એવી સ્થિતિ નહીં બને કેમકે 160 ધારાસભ્યોનું સમર્થન સરકાર બનાવવા માટે કોઇપણ પરિસ્થિતિમાં મળી જશે.