શિવસેના સાંસદ સંજય રાઉતની તરફથી એક પછી એક નિવેદનો આવી જ રહ્યા છે. તેઓએ ફરી એકવાર મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. તેઓએ કહ્યું કે પવાર સાહેબનું કદ મોટું છે. PM તેમના વખાણ કરી શકે છે. પરંતુ તેમને સમજવામાં જન્મો વીતી જશે.
સરકાર બનાવવાને લઈને સંજય રાઉતે સ્પષ્ટ રીતે કહ્યું છે કે તેમને સમજવામાં જન્મો લાગી જશે. તેમના કહેવાના આધારે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં સરકાર બની શકે છે. સંસદમાં પીએમ મોદીએ શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વખાણ કર્યા હતા. પીએમ મોદીના ભાષણ બાદ રાજનીતિમાં અનેક પ્રકારની ચર્ચાઓ થવા લાગી હતી. સંજય રાઉતે તેની પર ક્હુ્યું કે અમે ખેડૂતોના મુદ્દા પર પીએમ મોદી સાથે મુલાકાત કરીશું, આ મુલાકાત શરદ પવારની અધ્યક્ષતામાં થશે.
બીજેપીએ કર્યો દગોઃ સંજય રાઉત
સંજય રાઉતે એક વાર ફરી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો દાવો કર્યો. શિવસેનાના પ્રવક્તાએ મંગળવારે કહ્યું કે બીજેપીએ અમારી સાથે દગો કર્યો છે. તેઓએ કહ્યું કે પાક્કું છે કે શિવસેના જ રાજ્યમાં સરકાર બનાવશે. તેમને કહ્યું કે અંદરોઅંદર વાતચીત ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન છે અને અમારી પાસે સમય પણ છે.
શિવસેનાના પ્રમુખપત્રમાં લખાઈ છે આ વાત
બીજેપી પર પ્રહાર કરતાં શિવસેના પ્રમુખે કહ્યું કે મને પવાર સાહેબ પર કોઈ શંકા નછી. જે લોકો પહેલાં સરકાર બનાવવા ઈચ્છતા ન હતા પરંતુ હવે રાષ્ટ્રપતિ શાસન બાદ સરકાર બનાવવા ઈચ્છે છે. અન્ય તરફ શિવસેનાના પ્રમુખપત્રમાં લખ્યું છે કે દિલ્હીના બીજેપી નેતાઓએ કયા આધારે અને કઈ પરમિશનની સાથે આ જાહેરાત કરી. યાત્રામાં ઉતાવળને કારણે દુર્ઘટના સર્જાઈ શકે છે. આ પ્રકારની ઉતાવળ યોગ્ય નથી. લેખમાં લખાયેલી વાતને જેણે પણ જણાવી છે તેને શિવસેનાના મર્મ અને એનડીએનો કર્મ- ધર્મ ખ્યાલ નથી. તમારા દરેકના જન્મ પર શિવસેનાએ નાસ્તો કર્યો છે. જ્યારે બીજેપીની સાથે કોઈ ઊભું રહેવા પણ ઈચ્છતું ન હતું. ત્યારે જનસંઘના દીવામાં શિવસેનાએ તેલ પૂર્યું હતું.