મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે મંત્રિમંડળ વિસ્તારમાં ભાઇ સુનીલ રાઉતને જગ્યા ન મળવાથી નારાજગીની ખબર વચ્ચે શિવસેના સાંસદ સંજય રાઉતે નવા વર્ષ પર ફેસબુક પોસ્ટથી સ્સપેન્સ વધારી દીધું છે. રાઉતે પોતાના ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે 'હંમેશા એવા વ્યક્તિને સંભાળીને રાખો, જેણે તમને ત્રણ ભેટ આપી હોય, સાથ, સમય અને સમર્પણ....'
સુનીલ રાઉતને મંત્રીમંડળમાં સ્થાન ન મળવાથી છે નારાજ
સંજય રાઉતની ફેસબુક પોસ્ટે વધાર્યું સસ્પેન્સ
જો કે હવે ફેસબુક વોલ પરથી પોસ્ટ કરી દીધી દૂર
શિવસેના નેતા સંજય રાઉતની આ પોસ્ટને શિવસેના અધ્યક્ષ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકેર પર ટિપ્પણી તરીક જોવામાં આવી રહી છે. જો કે હવે સંજય રાઉતની એફબી વોલ પર આ પોસ્ટ જોવા મળી રહી નથી.
એવુ માનવામાં આવી રહ્યું છે કે કાંઇપણ અટકળો થવા પર સંજય રાઉતે પોસ્ટ ડિલીટ કરી દીધી. ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવામાં ભલે એનસીપી અધ્યક્ષ શરદ પવારની મહત્વની ભૂમિકા મહત્વની હતી, પરંતુ સંજય રાઉતે વિધાનસભા ચૂંટણી પરિણામ આવ્યાં તે દિવસથી ઉદ્ધવને મુખ્યમંત્રી બનવાને લઇને તેમનો પક્ષ લોકો સામે રાખતા હતા.
નાના ભાઇને કેબિનેટમાં જગ્યા ન મળવાથી નારાજ છે સંજય રાઉત?
ભાજપ સાથે અઢી વર્ષના મુખ્યમંત્રી પદની માગ અને એનસીપી-કોંગ્રેસ સાથે સરકાર ગઠનને લઇને વાતચીતમાં રાઉતની મુખ્ય ભૂમિકા જોવા મળી હતી. ઉદ્ધવ ઠાકેરની નજીક અને સરકાર ગઠનમાં મહત્વની ભૂમિકાને જોતા એવું માનવામાં આવી રહ્યું હતું કે સંજયના નાના ભાઇ સુનીલનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવશે, જો કે એમ થયું નહીં.
સંજય રાઉતે આ અંગે આપી હતી પ્રતિક્રિયા
શિવસેનાએ ત્રણ અપક્ષ ધારાસભ્યોને તક આપી, જેને લઇને સંજય રાઉત નારાજ હોવાનું સામે આવ્યું હતું. સુનીલ રાઉતની વિધાનસભા સભ્ય પદથી રાજીનામાની ચર્ચાની અટકળો જોવા મળી હતી. પરંતુ સંજય રાઉતે સામે આવ્યા હતા અને કહ્યું કે અમે લોકો આપનારા છીએ, માગનારા નહીં. પાર્ટી માટે કામ કરીએ છીએ પદ માટે નહીં.
ફેસબુક પોસ્ટ હટાવી દીધી
જો કે ત્યારબાદ એવુ માનવામાં આવી રહ્યું હતું કે સંજય રાઉતે નારાજગી દૂર કરી લીધી છે પરંતુ ફેસબુક પોસ્ટએ સસ્પેન્સ વધારી દીધું છે. જો કે હજુ પણ એવુ માનવામાં આવી રહ્યું છે કે સંજય રાઉત પોતાના ભાઇને મંત્રીમંડળમાં ન સમાવતાં નારાજ છે. જો કે સંજય રાઉતે એફબી પરથી પોસ્ટ ડિલીટ કરી દીધી છે પરંતુ ડીલીટ કરવા પર પણ સવાલ ઉઠી રહ્યાં છે.