શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે 'અમે NDA છોડ્યું નથી. જુઠ્ઠાણાની રાજનીતિને કારણે અમને મજબૂર કરવામાં આવ્યા. અમે બંને સૌથી જૂના સહયોગી હતા, જયારે કે બાકીના બધા નવા સદસ્યો પેઈંગ ગેસ્ટ જેવા છે'
સંજય રાઉત: "અમે NDA ને નથી છોડ્યું, અમને મજબૂર કરવામાં આવ્યા"
"અમે બંને સૌથી જૂના સાથી, બાકી બધા પેઈંગ ગેસ્ટ છે" : શિવસેના
'પંજાબમાં ગુસ્સે ભરાયેલા ખેડુતો એટલે દેશભરમાં ખેડુતો ગુસ્સે છે': રાઉત
વિપક્ષી પાર્ટીઓ સતત ખેડૂત બિલનો વિરોધ કરી રહી છે, તેમ જ સરકારના સાથી પક્ષો પણ હવે વિરોધમાં જઈ રહ્યાં છે. NDA ના સાથી શિરોમણી અકાલી દળ વતી મંત્રી હરસિમરત કૌરે બિલના વિરોધમાં રાજીનામું આપ્યું છે. હવે NDA ના પૂર્વ સાથી શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું છે કે જો પ્રધાનમંત્રી વાત કરી રહ્યાં છે અને છતાં તમારા મંત્રી રાજીનામું આપે છે તો કંઈક તો ગડબડ જરૂર છે. "
ખેડૂતના મુદ્દે દરેકને ટેકો આપવો જોઇએ.
સંજય રાઉતે વધુમાં કહ્યું કે વડા પ્રધાન જે ચીજો કહી રહ્યા છે અને તે છતાં તમારા મંત્રી રાજીનામું આપે છે મતલબ, પહેલા શિવસેનાને સાથ ચોળ્યો અને હવે શિરોમણિ અકાલી દળ, તેનો મતલબ છે કે કંઇક તો ગડબડ જરૂર છે. ખેડૂતના મુદ્દે દરેકને ટેકો આપવો જોઇએ. હવે લાગે છે કે NDA નું અસ્તિત્વ નથી. રાઉતે એમ પણ કહ્યું કે આજે પણ અમે અને શિરોમણી અકાલી દળ
સાથે જ ઉભા છીએ.
કિસાન બિલ અંગે સંજય રાઉતે કહ્યું હતું કે, આ અંગે સૌની સાથે વાત થઈ રહી છે, શરદ પવારની સાથે વાત કરીશું અને કોંગ્રેસ અને સૌ સાથે મળીને નિર્ણય કરીશું.
તો હરિશ્ચંદ્ર કોણ છે? : સંજય રાઉત
બિલ અંગે પંજાબના ખેડુતોના રોષ અંગે રાઉતે કહ્યું કે જો પંજાબના ખેડુતો ગુસ્સે છે તો આખા દેશના ખેડુતો ગુસ્સે છે. મહારાષ્ટ્ર પંજાબની સાથે છે. તેમણે કહ્યું કે પંજાબ બાદ હવે હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ખેડુતોનું પ્રદર્શન શરૂ થશે.
તેમણે એમ પણ કહ્યું કે" અમે જૂઠું બોલી રહ્યા છીએ, અને જો શિરોમણી અકાલી દળ ખોટું બોલે છે તો પછી અહી હરિશ્ચંદ્ર કોણ છે? "
જો કે આ બધાની વચ્ચે શિવસેના નેતા સંજય રાઉત અને શરદ પવારની બેઠક નક્કી થઈ છે, જે બાબતે કહેવાઈ રહ્યું છે કે આ મિટિંગ બાદ શિવસેના સ્ટેન્ડ ક્લિયર કરશે, શિવસેના હાલ આ બિલનો વિરોધ કરી રહી નથી જો કે તે રાજ્યસભામાં સ્ટેન્ડ ક્લિયર કરશે.