મહારાષ્ટ્રમાં સરકાર બદલાય ગઇ છે અને હવે રાજ્યમાં ઠાકરે રાજની શરૂઆત થઇ રહી છે. ઉદ્ધવ ઠાકરે ગુરૂવારના રોજ મુખ્યમંત્રી પદના શપથ લેવા જઇ રહ્યા છે. આ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતે એકવાર ફરી ભાજપ પર નિશાન તાક્યું છે. રાઉતે કહ્યું મહારાષ્ટ્રથી દેશમાં પરિવર્તનની શરૂઆત થઇ ગઇ છે.
શિવસેના નેતા સંજય રાઉતનો ભાજપ પર હુમલો
મહારાષ્ટ્રએ દેશમાં પરિવર્તનની શરૂઆત કરી
દિલ્હીમાં લેન્ડ થશે સૂર્યમાન, ના થાય આશ્ચર્ય
સંજય રાઉતે કહ્યું કે આજે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા છે તેનો મતલબ છે કે દેશમાં પરિવર્તનની શરૂઆત થઇ ગઇ છે. જ્યારે અજિત પવારને લઇને કહ્યું કે તેમને ગઠબંધનમાં યોગ્ય સ્થાન મળશે, તેઓ એક મોટું કામ કરીને આવ્યાં છે.
શિવસેના નેતા રાઉતે સવારે પત્રકાર પરિષદ કરી અને સરકાર ગઠનને લઇને આ વાત કહી. રાઉતે કહ્યું કે ભાજપ તરફથી 'અઘોરી' પ્રયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ મહારાષ્ટ્રની જનતાએ બધુ ધ્વસ્ત કરી દીધુ. સંજય રાઉતે નિવેદન આપ્યું કે હવે આ પ્રકારનો પ્રયોગ નહી ચાલે અને મહારાષ્ટ્રના અસર અન્ય રાજ્યમાં પણ જોવા મળશે.
સંજય રાઉતે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રી બનવાનું મિશન પૂરુ થઇ ગયુ છે અને અમારા 'સૂર્યમાન' મંત્રાલય પર લેન્ડ થઇ ગયું છે. જ્યારે મે આવુ કહ્યું હતુ ત્યારે લોકો મારા પર હસ્યા હતા. જો આવનાર સમયમાં દિલ્હીમાં પણ અમારુ સૂર્યયાન ઉતરે તો આશ્ચર્ય નહી હોય.