શિવસેનાના નેતા અનંત ગીતે એનસીપી પ્રમુખ શરદ પવાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. જેમા તેમણે એવું કહ્યું કે શરદ પવારે કોંગ્રેસની પીઠ પર છરો મારીને પોતાની પાર્ટી બનાવી છે. જેના કારણે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે.
શીવસેનાના નેતાએ શરદ પવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કોંગ્રેસની પીઠ પર છરો મારી પોતાની પાર્ટી બનાવી: અનંત ગીત
શરદ પવારને કારણે શિવસેના અને ભાજપના સંબંધોના ખટાસ આવી: અનંત ગીત
એનસીપી અધ્યક્ષ શરદ પવાર પર શિવસેના દ્વારા ફરી આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. જેમા શિવસેના નેતા અનંત ગીતે દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે પોતાની પાર્ટી બનાવવા કોંગ્રેસની પીઠ પર છરો મારવા વાળા નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર ક્યારે શિવસેનાના ગુરુ નહી બની શકે. શિવસેનાના નેતાએ આપેલા આ નિવેદનને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
ગઠબંધન વાળી સરકાર માત્ર સમજૂતી : અનંત ગીત
વધુમાં શિવસેના નેતાએ કહ્યું કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધન વાળી સરકાર માત્ર એક સમજૂતી છે. સાથેજ કહ્યું કે પવારને એમવીએ સરકારનો વાસ્તુકાર તેમજ ધુરી માનવામા આવે છે. જેના કારણે શિવસેના અને બીજેપીના સંબધોમાં ખટાસ થઈ અને પછી ગઠબંધન વાળી સરકાર બની હતી.
શિવસેનાની અંત સુધી લોકો માટે કામ કરશે : અનંત ગીત
અનંત ગીત 2019ની લોકસભા ચૂંટણી વખતે એનસીપી નેતા સુનીલ તટકરે સામે નજીવા વોટથી હારી ગયા હતા. હાલ તટકરેની પુત્રી એમવીએ સરકારમાં રાજ્યમંત્રી છે. ગત સોમવારે અનંત ગીતે કહ્યું કે શરદ પવાર ક્યારેય નેતા નહી બની શકે કારણકે તેમની સરકાર માત્ર એક સમજૂતી છે. સાથેજ તેમણે બાલાસાહેબ ઠાકરેને તેમના ગુરુ માનીને કહ્યું કે શિવસેનાની સરકાર જ્યા સુધી કામ કરી રહી છે ત્યા સુધી ચાલતી રહેશે.
મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે શિવસેના નેતાએ કહ્યું કે શરદ પવારે કોગ્રેસની પીઠ પર છરો મારીને પોતાની સરકાર બનાવી છે જેના લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો જોવા મલી રહ્યો છે. સાથેજ તેમણે કહ્યું કે એનસીપી અને કોંગ્રેસ એક ન થઈ શકે તો પછી શિવસેના પણ કોંગ્રેસની નીતિ પર નહી ચાલી શકે.