મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ધમાસાણ વચ્ચે સમાચાર આવ્યા છે કે શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે ગુહાવટીથી ગઈ કાલે રાતે ગુજરાત આવ્યા હતા.
મહારાષ્ટ્રમાં સામ સામે મોરચા મંડાયા
શિવસેનાના બે ભાગલા કરવા મથી રહ્યા છે શિંદે
ગત રોજ ગુજરાતને ઉડતી મુલાકાતે આવ્યા હોવાનું જાણવા મળ્યું
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ધમાસાણ વચ્ચે સમાચાર આવ્યા છે કે શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે ગુહાવટીથી ગઈ કાલે રાતે ગુજરાત આવ્યા હતા. ગુજરાતમાં તેમણે અમુક લોકો સાથે મુલાકાત પણ કરી હતી. અને બાદમાં તેઓ પાછા ગુવાહટી જતાં રહ્યા હતા.
મહારાષ્ટ્રમાં શિવસેનાના રાજકીય સંકટનો આજે સતત પાંચમો દિવસ છે અને બે દિવસ પહેલા સુધી જે શિવસેનાના બળવાખોર શિંદે આગળ સરેન્ડર કરતી દેખાતી હતી, તે આજે પાંચમા દિવસે દહાડ મારતી દેખાય છે. મુંબઈમાં આજે શિવસેનાની કાર્યકારીણીની બેઠક થઈ હતી. સીએમ ઉદ્ધવ ઠાકરે અને શિવસેના સાંસદ સંજય રાઉત સહિત મોટા નેતા આ બેઠકમાં સામેલ થયા હતા અને રાઉત જ્યારે બેઠકમાંથી બહાર આવ્યા તો, તેમણે સ્પષ્ટ કર્યું છે કે, શિવસેના સાથે ગદ્દારી કરનારાઓને માફી નહીં મળે. ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર પર કાર્યવાહી કરવાની વાત કરી છે. ભાજપ સાથે જવાનો સવાલ જ ઊભો થતો નથી, અઘાડી સરકાર ચાલુ રહેશે.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, શિવસેનાની બેઠકમાં નક્કી થયું છે કે, બળવાખોર નેતાઓ પર કાર્યવાહી થશે. બળવાખોર મંત્રીઓને હટાવામાં આવશે. શિવસેનાના તમામ પદેથી બળવાખોર નેતાઓને હટાવી દેવામાં આવશે. આ બાજૂ વિધાનસભામાં ડેપ્યુટી સ્પિકરે શિંદે જૂથને મોટો ઝટકો આપ્યો છે. શિવસેનાની અરજી પર શિંદે જૂથના 16 ધારાસભ્યોને નોટિસ જાહેર કરી છે અને સોમવાર સુધીમાં જવાબ માગ્યો છે. ડેપ્યુટી સ્પિકરે આ અવિશ્વાસ પ્રસ્તાવને પણ ફગાવી દીધો છે. જે શિંદે જૂથે ડેપ્યુટી સ્પિકર વિરુદ્ધ મોકલ્યો હતો. પણ સમાચાર એવા આવે છે કે, ડેપ્યુટી સ્પિકરના આ નિર્ણય વિરુદ્ધ સોમવારે જ સુપ્રીમ કોર્ટના શરણે જશે.