મહારાષ્ટ્રમાં સત્તારૂઢ શિવસેનાએ પોતાના મુખપત્ર 'સામના' ના માધ્યમથી કેન્દ્ર સરકાર પર અર્થવ્યવસ્થા અને ડૂંગળીના વધતા ભાવને લઇને આકરા પ્રહાર કર્યાં છે. સામનામાં અર્થવ્યવસ્થામાં મંદીની અસર જોવા મળી રહી છે તેમ છતાં સરકાર આ સત્યને લઇને માનવા તૈયાર નથી. શિવસેનાએ લખ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થા ઘટી રહી છે, બિમાર પડી ગઇ છે.
દેશની અર્થવ્યવસ્થા મામલે સામનામાં કેન્દ્ર સરકાર પર પ્રહાર
દેશની અર્થવ્યવસ્થાને લકવો મારી ગયો છે
સરકાર અર્થવ્યવસ્થા વિશે સત્ય સ્વીકારતી નથી
શિવસેનાએ મુખપત્ર સામનમાં કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા કહ્યું છે કે ડુંગળીની કિંમત 200 રૂપિયાને પાર પહોંચી જોવા મળી રહી છે. ડુંગળીને લઇને નિર્મલા સિતારમણે આપેલા નિવદેન પર પણ કટાક્ષ કર્યો હતો. જેમાં જણાવાયું છે કે હું ડુંગળી-લસણ નથી ખાતી એટલા માટે ડુંગળીને લઇને મને કાંઇ ના પૂછો એવા જવાબ પર નાણામંત્રી પર સામનામાં આકરા પ્રહાર કરવામાં આવ્યાં છે.
જ્યારે પીએમ મોદીને લઇને પણ સામનામાં જણાવામાં આવ્યું છે કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નીતિમાં ફેરફાઇ થઇ ગયો છે. દેશની અર્થવ્યવસ્થા ધરાશાયી છે ત્યારે હવે પીએમ મોદી તેને લઇને જવાબદાર છે. આમ હવે અર્થવ્યવસ્થા માટે નહેરૂ અને ઇન્દિરા જવાબદાર નથી.
સામનામાં ફરી એક વખત પીએમ મોદી પર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે પીએમ મોદી જ્યારે ગુજરાતના CM હતા ત્યારે ડુંગળીની ચિંતા કરતા હતા, આજે પીએમ મોદીની નીતિ બદલાઇ ચૂકી છે.
સામનામાં કેન્દ્ર સરકારને આડે હાથ લેતા કહ્યું કે શાસકને આરબીઆઇના અધ્યક્ષ, નીતિ આોગના અધ્યક્ષ બધા પોતાના કહ્યા મુજબ કરે તેવા જોઇએ છે. જો કે સામનામાં રઘુરામ રાજનને અર્થવ્યવસ્થાના ડોકટર ગણાવ્યાં.