લોકસભા ચૂંટણીને લઇને દેશરમાં રાજકારણ ગરમ થઇ ગયું છે. કોણ બનશે પ્રધાનમંઊી અને કઇ પાર્ટીનો હશે કબ્જો એને લઇને અટકળઓ તેજ થઇ ગઇ છે. જો કે વર્તમાનમાં પીએમ કેન્ડિડેટને લઇને દરેક પાર્ટીમાં ઊથલ પાથલ મચી ગઇ છે. આ કડીમાં શિવસેનાએ મોટું નિવેદન આપ્યું છે. સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે જો ગડકરી પ્રધાનમંત્રીના દાવેદાર હશે તો શિવસેના ભાજપનું સમર્થન કરશે.
સંજય રાઉતે કહ્યું છે કે લોકસભા ચૂંટણીના પરિણામ ત્રિશંકુ આવવા પર નિતિન ગડકરી પ્રધાનમંત્રી પદના દાવેદર બનીને ઊભરી શકે છે એવામાં એમની પાર્ટીનું સમર્થન કરશે. એક વેબસાઇટમાં આપેલા ઇન્ટરવ્યૂમાં રાઉતે કહ્યું કે શિવસેનાના શબ્દકોષમાં ગઠબંધન જેવો કોઇ શબ્દ નથી. એમને કહ્યું કે ભાજપ માત્ર પોતાનું જ વિચારી રહી છે એટલા માટે અમે પણ માત્ર અમારું જ વિચારીશું. જો કે એમને સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જો ગડકરી પીએમ કેન્ડિડેટ બને છે તો શિવસેના સમર્થન કરશે. નોંધનીય છે કે શિવસેના પહેલાથી ભાજપ વિરુદ્ધ પોતાની નારાજગી વ્યક્ત કરી ચુક્યું છે. પરંતુ આ જાહેરાત બાદ રાજકીય ગરમાવો એક વખત ફરીથી વધી શકે છે.
તો બીજી બાજુ મહાગઠબંધન પર સાંસદ સંજય રાઉતે કહ્યું કે જો કોંગ્રેસ સામેલ થશે નહીં તો એ સફળ થશે નહીં. નોંધનીય છે કે તાજેતરમાં જ કલકત્તામાં મહાગઠબંધનની રેલી આયોજિત કરવામાં આવી હતી. જેમાં 20 થી વધારે પાર્ટીઓના નેતા અને પ્રમુખ સામેલ થયા હતા. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને બસપા પ્રમુખ માયાવતીએ હાજરી આપી નહતી. હવે જોવાનું એ છે કે ચૂંટણી પહેલા કઇ પાર્ટી એનડીએ સાથે જાય છે અને કોન મહાગઠબંધનનો ભાગ બને છે.