ભારત અને ચીનની સરહદ પર તણાવ સતત વધી રહ્યો છે, અથડામણ બાદથી યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. ભારતીય સેના જડબાતોડ જવાબ આપવા માટે તૈયારી કરી રહ્યું છે ત્યારે ભારતની અંદર જ રાજનીતિ શરુ થઇ ગઈ છે. ભાજપની પૂર્વ સહયોગી શિવસેનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બિહાર ચૂંટણી માટે સેનામાં પણ જાતી અને પ્રાંતનું કાર્ડ રમી રહ્યા છે.
બિહાર રેજીમેન્ટનું નામ લેવા પર શિવસેનાને વાંધો
અન્ય રેજીમેન્ટ જવાનો શું તમાકુ ચાવી રહ્યા હતા ? : શિવસેના
બિહાર ચૂંટણી માટે સૈનિકોની વીરતા વાપરી રહ્યા હોવાનો પીએમ પર શિવસેનાનો આરોપ
શિવસેનાએ પીએમ મોદી પર કર્યા પ્રહાર
શિવસેનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો છે કે બિહાર વિધાનસભાની ચૂંટણી માટે ગલવાન ઘાટી સંઘર્ષના શહીદ થયેલા સૈનિકોની વીરતાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકારનાં પ્રમુખ દળનું કહેવું છે કે 15 જૂને સરહદ પર ચીની સૈનિકો સાથે થયેલા સંઘર્ષમાં સામેલ એક રેજીમેન્ટનો ઉલ્લેખ કરીને મોદી જાતીય અને ક્ષેત્રીય કાર્ડ રમી રહ્યા છે.
અન્ય રેજીમેન્ટ બેકાર બેસીને તમાકુ ચાવી રહ્યા હતા ?
શિવસેનાએ સામનામાં ગલવાન ઘાટીમાં સંઘર્ષમાં બિહાર રેજીમેન્ટ વીરતા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલ ટિપ્પણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે દેશ જ્યારે સીમા સંકટનો સામનો કરી રહ્યું હતું તો શું મહાર, મરાઠા, રાજપૂત, શીખ, ડોગરા રેજીમેન્ટ સરહદ પર બેકાર બેસીને તમાકુ ચાવી રહ્યા હતા ?
આ રાજનીતિ કોરોના કરતા પણ વધુ ઘાતક : શિવસેના
સામનામાં કહેવામાં આવ્યું કે કાલે પુલવામામાં આતંકવાદીઓ સાથે અથડામણમાં CRPFના મહારાષ્ટ્રનાં જવાન સુનીલ કાલે શહીદ થઇ ગયા. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય સેનામાં જાતી અને ક્ષેત્રને મહત્વ આપવામાં આવ્યું છે. સામનામાં કહેવામાં આવ્યું કે આ પ્રકારની રાજનીતિ એક બીમારી છે અને તે કોરોના વાયરસ કરતા પણ વધુ ઘાતક છે.