મહારાષ્ટ્રમાં રાજકીય ગતિરોધ વચ્ચે ડે. સીએમ અજિત પવારનો એક વધુ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. હવે શિવસેના, NCP અને કોંગ્રેસે અજિત પવારને ભ્રષ્ટાચાર નિરોધક શાખ એટલે કે ACB ની તરફથી સિંચાઇ કૌભાંડ મામલે ક્લીનચિટ મળવા પર સુપ્રીમ કોર્ટમાં પડકારાયો છે.
નીતિગત નિર્ણયો પર રોક લગાવા માગ ઉઠી
સિંચાઇ પરિયોજના કૌભાંડની તપાસ કરી રહ્યું છે ACB
સુપ્રીમ કોર્ટે દાખલ અરજીમાં શિવસેના, NCP અને કોંગ્રેસે જણાવ્યું છે કે જ્યાં સુધી વિધાનસભા સદનમાં શક્તિ પરીક્ષણ થતું નથી ત્યાં સુધી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસન કોઇપણ નીતિગત નિર્ણય પર રોક લગાવામાં આવે. ત્રણેય પક્ષોએ કરેલી આ અરજીમાં ACB એ સોમવારે જારી કરેલા આદેશ પર રોક લગાવાની માંગ કરવામાં આવી છે.
અજિત પવારનું નામ અન્ય મામલામા પણ છે, જેને 70,000 કરોડ રૂપિયાનું સિંચાઇ કૌભાંડ તરીકે જાણવામાં આવે છે. ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી (BJP), શિવસેના, આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષોએ ભ્રષ્ટાચારના આ મામલ મોટા પાયે નિંદા કરી હતી.
જ્યારે આ કૌભાંડ સામે આવ્યું ત્યારે તે સમયે અજિત પવારે કોંગ્રસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની ગઠબંધનની સરકારમાં સિંચાઇ વિભાગ સંભાળતા હતા. ત્યારે ભારતીય જનતા પાર્ટી, શિવસેના, આમ આદમી પાર્ટી અને અન્ય વિપક્ષી દળોને નિયમિત સમયાંતરે મુદ્દો ઉઠાવ્યો હતો.