મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઈને અનેક પ્રકારની અસમંજસ સેવાઈ રહી છે. રવિવારે દિલ્હીમાં NCP પ્રમુખ શરદ પવારની કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે બેઠક થવાની હતી. પરંતુ તેને મોકૂફ રાખવામાં આવી હતી. આજે આ બેઠક યોજાશે અને સાથે જ કોંગ્રેસ શિવસેના સાથે પણ બેઠક યોજશે.
`મહા'ગઠબંધન માટે કવાયત
આજે કોંગ્રેસ - NCPની બેઠક
કોંગ્રેસ શિવસેના સાથે પણ યોજશે બેઠક
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ - NCP અને શિવસેના મળીને સરકાર બનાવે છે કે કેમ તેના પર સૌની નજર છે ત્યારે આજે દિલ્લીમાં શરદ પવાર અને સોનિયા ગાંધી વચ્ચે મહત્વની મુલાકાત થવા જઈ રહી છે. શરદ પવાર અને સોનિયા ગાંધી વચ્ચે યોજાનારી મુલાકાતમાં શિવસેનાને સમર્થન આપવા અંગે ચર્ચા થશે.
મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCPની સરકાર બનશેઃ સંજય રાઉત
આજે દિલ્હીમાં મહારાષ્ટ્રના ગઠબંધનને લઈને શિવસેના- કોંગ્રેસ અને કોંગ્રેસ-NCPની બેઠક યોજાઈ રહી છે. આ બેઠક પહેલા ફરી એકવાર સંજય રાઉતે વિશ્વાસ વ્યકત કર્યો છે કે મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCPની સરકાર બનશે. તેઓ વિધાનસભામાં 170નો આંકડો પાર કરશે. સંજય રાઉતે એવો પણ વિશ્વાસ વ્યકત કર્યો કે મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCP મળીને પાંચ વર્ષ સુધી સરકાર ચલાવી જાણશે.
આવી શકે છે ખાસ નિર્ણય
Prithviraj Chavan, former Maharashtra CM and Congress leader: We are trying to find whether Shiv Sena, Congress & NCP can come together. There is a meeting tomorrow between the leaders of Shiv Sena & Congress. We will find out if we can go ahead or not. pic.twitter.com/fjfEwILMxB
ઉલ્લેખનીય છે કે પવાર અને સોનિયા ગાંધી વચ્ચેની બેઠક બાદ આજે રાજ્યમાં નવી સરકારને લઈને કોઈ ચોક્કસ નિર્ણય આપવામાં આવશે. ચર્ચા છે કે ત્રણેય પાર્ટીઓ એટલે કે શિવસેના-રાંકપા અને કોંગ્રેસના મંત્રાલયોને લઈને એક પત્ર તૈયાર કરવામાં આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે શિવસેના, કોંગ્રેસ અને એનસીપી ગઠબંધનના પ્રયાસમાં છે. આજની શિવસેનાની સાથે કોંગ્રેસની બેઠક છે જેમાં નક્કી થશે કે અમે સાથે છીએ કે નહીં.
અઠાવલેને આશા, શિવસેના આપશે સાથ
Union Minister Ramdas Athawale: I told Amit bhai (BJP President Amit Shah) that if he mediates then a way can be found out to which he (Amit Shah) replied "don't worry, everything will be fine. BJP & Shiv Sena will come together to form government". #Maharashtrapic.twitter.com/JMIPnQJsuM
પહેલાં માનવામાં આવી રહ્યું હતું કે ભાજપથી દૂર થયેલી શિવસેનાના કોંગ્રેસ અને એનસીપી સાથે તાલમેલ જોવા મળશે નહીં. અન્ય તરફ એનડીએના કેટલાક નેતાઓએને શિવસેનાથી પાછા આવવાની આશા છે. આ માટે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ રવિવારે કહ્યું કે ભાજપ અધ્યક્ષ અમિત શાહે આ વિષે કહ્યું છે કે જો તેઓ મધ્યસ્થતા કરે તો રસ્તો નીકળી શકે છે. આ સાથે અમિત શાહે કહ્યું છે કે ચિંતા ન કરો. બધું ઠીક થઈ જશે. સરકાર બનાવવા માટે ભાજપ અને શિવસેના સાથે આવશે.
મહારાષ્ટ્રમાં સરકાર ન બની શકવાની સ્થિતિમાં 12 નવેમ્બરે રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું છે. વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ મુખ્યમંત્રી પદના મુદ્દાને લઈને ભાજપ અને શિવસેનાનું ગઠબંધન તૂટ્યું છે. આ પછી નવા રાજકીય સમીકરણોમાં શિવસેનાના કોંગ્રેસ અને એનસીપીની સાથે આવવાની ચર્ચા છે.