મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે પણ રાજકીય સ્થિતિ ડામાડોળ રહેતા ટેન્શનભર્યો માહોલ છે, આ બાજૂ સરકાર બચાવવા માટે મહાવિકાસ અઘાડી તમામ પ્રયાસો કરી રહી છે. તેમાં કેટલીય સફળ થશે, એતો આવનારો સમય જ બતાવશે.
મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે પણ વિકટ સ્થિતિ
સરકારની ડામાડોળ સ્થિતીની વચ્ચે તાત્કાલિક બેઠકો બોલાવી
સાંજે 5 વાગ્યે તમામ ધારાસભ્યોને વર્ષામાં બોલાવ્યા
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ બીજા દિવસે પણ યથાવત છે. શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ દાવો કર્યો છે કે તેમની પાસે 41 ધારાસભ્યો છે અને તે તમામને લઈને સૂરતથી આસામ પહોંચી ચુક્યા છે. મહારાષ્ટ્રમાં એમએલસી ચૂંટણી બાદ બળવો થયો અને શિવસેનાના મંત્રી એકનાથ શિંદે સહિત બળવાખોર ધારાસભ્યો સૂરતથી આસામના ગુવાહટી મોકલી દેવામા આવ્યા હતા. દાવો કરવામાં આવી રહ્યો છે કે, શિંદેની સાથે શિવસેના, NCP અને અપક્ષ મળીને કુલ 41 ધારાસભ્યો છે. આ તમામની વચ્ચે શિંદેએ ઉદ્ધવ ઠાકરેને ભાજપ સાથે ગઠબંધન કરવાનું અલ્ટીમેટમ આપી દીધું છે. મહારાષ્ટ્રમાં ચાલી રહેલા દરેક ઉથલપાથલ વિશેની ક્ષણે ક્ષણેની અપડેટ માટે અમારી સાથે જોડાઈ રહો...
The letter also warns that if someone remains absent from the meeting without proper reason and prior information, they should keep in mind that action will be initiated to cancel their membership as per constitutional provisions
સૂત્રોનું માનીએ તો, કેબિનેટની મીટિંગમાં શિવસેનાના 8 મંત્રી પણ નહોતા પહોંચ્યા, જે મુંબઈમાં જ હાજર છે. જે પાર્ટી માટે સૌથી મોટુ ટેન્શન છે. કારણ કે માનવામા આવી રહ્યું છે કે, શિવસેના એકઠા કરવાનો પ્રયાસ કરી રહી છે. જેને લઈને પાર્ટીએ તાત્કાલિક તમામ ધારાસભ્યોને 5 વાગ્યે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન વર્ષામાં પહોંચવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ એવું પણ કહેવાયુ છે કે, જે ધારાસભ્યો નહીં પહોંચે તેના પર કાર્યવાહી કરવામાં આવશે.
કેબિનેટની ઈમરજન્સી બેઠકમાં ન થઈ શક્યો નિર્ણય
મહારાષ્ટ્રમાં કેબિનેટની ઈમરજન્સી મીટિંગમાં વિધાનસભા ભંગ કરવાને લઈને કોઈ નિર્ણય લેવાયો નથી. માનવામાં આવી રહ્યું છે કે, મીટિંગમાં શિવસેનાના 8 મંત્રી પહોંચ્યા નથી, જે બાદ કોઈ પણ નિર્ણય લેવાય તે પહેલા મીટિંગ બરખાસ્ત કરી દેવામાં આવી હતી. તો વળી સંજય રાઉતે કહ્યું હતું કે, કોઈ પણ પ્રકારનો નિર્ણય મહાવિકાસ અઘાડીની મીટિંગ બાદ જ લેવામાં આવશે.