ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટીને ઝટકો લાગ્યો છે. રાજ્યમાં રઘુવર દાસના નેતૃત્વવાળી ભાજપ સરકારની હાર થઇ છે. રાજ્યમાં 81 વિધાનસભા સીટમાં 25 સીટી ભાજપ જીતી શકી છે. ઝારખંડમાં ભાજપની હાર પર શિવસેનાએ ભાજપ પર નિશાન સાધ્યું છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં કહ્યું કે ઝારખંડ પણ ભાજપના હાથમાંથી નીકળી ગયું.
ઝારખંડ ચૂંટણી પરિણામ પર શિવેસનાએ સાધ્યું નિશાન
શિવસેનાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર
કોંગ્રેસમુક્ત નહીં ભાજપમુક્ત થઇ રહ્યો છે દેશ
શિવસેનાએ મુખપત્ર સામાનામાં ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે ભાજપના હાથમાંથી પહેલા મહારાષ્ટ્ર ગયુ અને હવે ઝારખંડ પણ જતુ રહ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત કેન્દ્રીય મંત્રીમંડળે કરેલા ચૂંટણી પ્રચાર છતાં ભાજપ ઝારખંડમાં જીત મેળવી શકી નહીં.
ઝારખંડ મુક્તિ મોર્ચના હેમંત સોરેન હવે મુખ્યમંત્રી બનશે. શિવસેનાએ કહ્યું કે ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ અને આરજેડી ગઠબંધનને બહુમતિ મળી. આ ગઠબંધનમાં ઝારખંડ મુક્તિ મોરચાને સૌથી વધુ બેઠક મળી છે. ઝારખંડમાં હાર ભાજપ માટે એક ઝટકા સમાન છે.
શિવસેનાએ સામનામાં ભાજપ પર આકરા પ્રહાર કરતા લખ્યું ભાજપના નેતા કોંગ્રેસમુક્ત ભારતની જાહેરાત કરતાં હતા પરંતુ હવે કેટલાંક રાજ્ય ભાજપમુક્ત થઇ ગયા છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા મોટા રાજ્ય ભાજપ પહેલા ગુમાવી ચૂકી છે. તે સિવાય મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની શિવસેનાના નેતૃત્વમાં સરકાર બની છે.