લોકસભા ચૂંટણીના ઠીક પહેલા મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેનામાં પોતાને 'મોટા ભાઇ' સાબિત કરવાની જંગ ચાલી રહી છે. સોમવારના મહારાષ્ટ્રમાં શિવસેનાની બેઠક થઇ બેઠકથી સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે શિવસેના પોતાની વાતથી પાછળ નહી થાય. શિવસેનાના નેતા સંજય રાઉતનું કહેવુ છે કે ''મહારાષ્ટ્રમાં શિવસેના જ મોટા ભાઇનો રોલ કરશે. અમને BJPની 50-50 ફોર્મૂલા મંજૂર નથી.''
તમને જણાવી દઇએ કે સોમવારના જ વાત સામે આવી હતી કે ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાની વચ્ચે ગઠબંધનની વાત બની રહી છે. ભાજપ શિવસેનાને 23 સીટ આપવા માટે તૈયાર છે પરંતુ શિવસેનાને 24 સીટ લેવી છે.
બેઠક પછી શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યુ કે ''50-50 ફોર્મૂલાની અમને કોઇ જાણકારી નથી. અમારી પાસે આ પ્રકારનું કોઇ પ્રપોઝલ આવ્યુ નથી અને આવે તો પણ અમે સ્વીકાર નહી કરીએ. શિવસેના મહારાષ્ટ્રમાં મોટા ભાઇ તરીકે જ રહેશે.''
સાંસદ સંજય રાઉતે આગળ કહ્યુ કે ''અમે સંપૂર્ણ રીતે લડવા માટે તૈયાર છીએ અમે અહીંયા મોટા ભાઇ છીએ અને આજ રીતે દેશ-રાજ્યની રાજનીતિ કરીશું. પાર્ટીના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેની માંગ છે કે જે લોકોની આવક 8 લાખ રૂપિયા સુધીની વાર્ષિક છે તેમણે ટેક્સમાંથી છૂટ મળવી જોઇએ.''
ઉલ્લેખનીય છે કે 2014માં લોકસભા ચૂંટણી મહારાષ્ટ્રની 48 સીટ પર શિવસેના ભાજપ અને ક્ષેત્રીય દળોને મળીને લડ્યુ હતુ. ત્યારે શિવસેના 20 અને ભાજપ 24 સીટ પર ચૂંટણી લડી હતી જેમાં શિવસેના 18 અને ભાજપે 23 સીટ પર જીત મેળવી ત્યારથી લઇને અત્યાર સુધી બંને પાર્ટીઓની વચ્ચે સંબંધ સતત ખરાબ થઇ રહ્યા છે. શિવસેના પહેલા જ જાહેરાત કરી ચૂકી છે કે 2019માં એકલા જ ચૂંટણી લડશે ત્યારે અમિત શાહની તરફથી નિવદેન આવ્યુ હતુ કે ''જો સહયોગી સાથે ના આવ્યા તો તેમણે હરાવવા માટે ચૂંટણી લડવામાં આવશે.''