રામ મંદિરને લઈને શિવસેનાએ ભાજપ પર હુમલો કર્યો છે. ભાજપ પર પ્રહાર કરતા શિવસેનાએ કહ્યું કે ભાજપ રામ મંદિરના નિર્માણમાં રોડા નાખી રહી છે. ભાજપ રામ મંદિર પર રાજનીતિ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ભાજપ પર રામ મંદિર મુદ્દે વિપક્ષ શિવસેના સિવાય અન્ય પક્ષોએ પણ આક્ષેપ કર્યો છે અને જલદીથી રામ મંદિરનું નિર્માણ થાય એવી માગ પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે ભાજપ જો ટૂંક સમયમાં અયોધ્યામાં રામમંદિર નહીં બનાવે તો હિંદુ સમાજ એનું રામ નામ સત્ય કરી નાખશે એવી ચીમકી પણ શિવસેનાએ ભાજપને એના મુખપત્ર સામનાના તંત્રીલેખ દ્વારા આપી હતી. રામમંદિરના મુદા પર ભાજપે હિંદુ જનતાને ભ્રમિત કરી હોવાનો આરોપ પણ શિવસેનાએ કર્યો હતો.
કેન્દ્રમાં રાજ્યમાં અને ફૈઝાબાદ મહાપાલિકામાં પણ ભાજપની સત્તા હોવા છતાં હજી સુધી રામ મંદિર શા માટે નથી બન્યું એવો સવાલ શિવસેનાએ ભાજપને કર્યો હતો. જો અદાલત એનો નિર્ણય ન લઈ શકે તો અધ્યાદેશ જાહેર કરીને રામમંદિર બનાવવાની સલાહ શિવસેનાએ ભાજપને આપી છે.
ભાજપની ટીકા કરતા તંત્રીલેખમાં બાબરીનો ઢાંચો પાડવાનું કામ શિવસૈનિકોઓ કર્યું હોવાની જવાબદારી સ્વયં બાળાસાહેબ ઠાકરેએ લીધી હતી એની યાદ અપાઈ હતી. તમામ સત્તા હોવા છતાં રામનો અયોધ્યામાંથી વનવાસ સમાપ્ત નહીં થાય તો તેનું પરિણામ ભાજપે ભોગવવું પડશે એવી ર્ગિભત ધમકી તંત્રીલેખમાં અપાઈ હતી.