ભોલેનાથની પૂજામાં ઘણા નિયમોનું પાલન કરવું જરૂરી છે. શિવલિંગ પર અમુક વસ્તુઓ ચડાવવી અશુભ માનવામાં આવે છે. તેને ચડાવવાથી શિવજીની કૃપા નથી મળતી.
શિવજીને નથી ચડાવવામાં આવતી આ 4 વસ્તુઓ
ભોલેનાથની પૂજામાં ન કરતા આવી ભૂલો
જાણી લો શિવ પૂજાના નિયમો
સોમવારના દિવસે ભોલેનાથની ખાસ પૂજા-અર્ચના કરવામાં આવે છે. કહેવાય છે કે ભોલેનાથ ખૂબ જ ભોળા છે અને ભક્તોથી જલ્દી પ્રસન્ન થઈ જાય છે. માનવામાં આવે છે કે સોમવારે શિવલિંગ પર અમુક ખાસ વસ્તુઓ ચડાવવાથી ભોલેનાથ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને જીવનમાં આવનાર ઘણી મુશ્કેલીઓ દૂર કરે છે.
શિવપૂજાના પોતાના અમુક નિયમ હોય છે. શિવલિંગ પર આકડો, બિલિપત્ર અને ભાંગ સહિત અમુક વસ્તુઓ ચડાવવી શુભ માનવામાં આવે છે ત્યાં જ અમુક વસ્તુઓ એવી પણ છે જેનો ઉપયોગ શિવ પૂજામાં કરવો અશુભ માનવામાં આવે છે. આવો જાણીએ આ વસ્તુઓ વિશે.
શિવલિંગ પર ન ચડાવવી જોઈએ આ વસ્તુઓ
હળદર
દરેક ધાર્મિક કાર્યોમાં હળદરને ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવી છે અને શંકર ભગવાનની પૂજામાં હળદર નથી ચડાવવામાં આવતી. હળદરનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનોમાં કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર શિવલિંગ પુરૂષત્વનું પ્રતિક માનવામાં આવે છે માટે મહાદેવને હળદર નથી ચડાવવામાં આવતી.
આ ફૂલો
ભોલેનાથને કનેર અને કમળ ઉપરાંત કોઈ પણ અન્ય ફૂલ પ્રિય નથી. શિવજીને કોઈ પણ લાલ રંગના ફૂલ, કેતકી અને કેવડાના ફૂલ નથી ચડાવવામાં આવતા. આમ કરવાથી પૂજાનું ફળ નથી મળતું.
કંકુ
શાસ્ત્રો અનુસાર શિવજીની પૂજામાં કંકુનો ઉપયોગ નથી કરવામાં આવતો. માટે શિવલિંગ પર પણ ક્યારેય પણ કંકુ ન ચડાવવું જોઈએ.
ભગવાન વિષ્ણુને શંખ ખૂબ જ પ્રિય છે પરંતુ શિવજીની પૂજામાં શંખનો ઉપયોગ નથી કરવામાં આવતો. શંકર ભગવાને શંખચુર નામના અસુરનું વઘ કર્યું હતું માટે શંખ ભગવા શિવની પૂજામાં ઉપયોગમાં લેવામાં આવતા નથી.
તુલસી
શાસ્ત્રો અનુસાર તુલસીના પાન પણ ભગવાન શિવને ચડાવવા અશુભ માનવામાં આવે છે. તેની પાછળ એક પૌરાણિક કથા પણ છે. કહેવાય છે કે અસુર રાજ જલંધરની પત્ની વૃંદા તુલસીનો છોડ બની ગઈ હતી. શિવજીએ જલંધરનું વધ કર્યું હતું માટે વૃંદાએ ભગવાન શિવની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ ન કરવાની વાત કરી હતી.