રુદ્રપ્રયાગમાં સ્થિત 'ત્રિયુગી નારાયણ' એક પવિત્ર સ્થળ છે. એવું માનવામાં આવે છે કે અહિંયા સતયુગમાં જ્યારે ભગવાન શિવે માતા પાર્વતી સાથે લગ્ન કર્યા હતા ત્યારે 'હિમવત'ની રાજધાની હતી. આજે પણ દર વર્ષે સંતાન પ્રાપ્તિ માટે લોકો અહિંયા આવે છે અને દર મહિને સપ્ટેમ્બર મહિનામાં બાવન દ્વાદશીના દિવસે અહિંયા મેળો યોજવામાં આવે છે.
માન્યતા એવી છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે માતા પાર્વતીએ ગૌરી કુંડમાં તપસ્યા કરી હતી. ગૌરી કુંડ ત્રિગુનારાયણ મંદિરથી થોડું આગળ આવ્યું છે. આ જ કારણના લીધે ભગવાન શિવે આ જ મંદિરમાં માતા પાર્વતી સાથે લગ્ન કર્યાં હતા. એવું કહેવામાં આવે છે કે હવન કુંડમાં આજે પણ આગ પ્રજૌલીત છે.
સંતાન પ્રાપ્તિ માટે લોકો આ આગનો આશીર્વાદ મેળવવા દેશના દરેક ખૂણેથી આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન કેદારનાથની મુલાકાત લેતા પહેલાં અહીં ભગવાન અહિંયા દર્શન કરવા આવો તો જ ભગવાન પ્રસન્ન થાય છે.