રૂદ્રપ્રયાગમાં સ્થિત 'ત્રિયુગી નારાયણ' એક પવીત્ર જગ્યા છે. માનવામાં આવે છે કે સતયુગમાં જ્યારે માતા પાર્વતી સાથે ભગવાન શંકરના લગ્ન થયા ત્યારે આ જગ્યા 'હિમવત'ની રાજધાની હતી.
આ જગ્યા પર આજે પણ દર વર્ષે સમગ્ર દેશમાંથી દુર-દુરથી લોકો સંતાન પ્રાપ્તિ માટે આવે છે અને દર વર્ષના સપ્ટેમ્બર મહિનામાં પવિત્ર બારસના દિવસે અહીં મેળો ભરાય છે.
માનવામાં આવે છે કે ભગવાન શિવને પ્રશન્ન કરવા માટે 'ત્રિયુગી નારાયણ' મંદિરના આગળના ભાગે 'ગૌરી કુંડ' કહેવાતી જગ્યા પર માતા પાર્વતીએ તપશ્યા કરી હતી. ત્યારબાદ આ મંદિરમાં જ ભગવાન શંકરે માતા પાર્વતી સાથે લગ્ન કર્યા હતા. માન્યતાઓ છે કે તે હવન કુંડમાં આજે પણ તે અગ્ની જ છે.
સંતાન પ્રાપ્તિ માટે આ અગ્નિના આશિવાર્દ લેવા માટે સમગ્ર દેશમાંથી દુર-દુરથી લોકો કેદારનાથની યાત્રા પહેલાં અહીં આવે છે. અહીં દર્શન કરવાથી ભગવાન શંકર ખૂશ થાય છે અને દરેક મનોકામના પૂર્ણ કરે છે.