ભગવાન શિવ સાથે જોડાયેલા તીર્થોની વાત થાય ત્યારે સામાન્ય રીતે સોમાનાથ કેદારનાથ અને અમરનાથનું નામ સૌથી પહેલા યાદ આવે છે. પરંતુ શું તમે જાણો છો કે અમરનાથની ગુફામાં જ નહી શિવ અન્ય એક ગુફામાં પણ રહે છે. જી હા અમે વાત કરી રહ્યા છે એ શિવ ગુફા વિશે જેમાં ભગવાન શિવ સહપિરવાર બિરાજ છે તેની ધાર્મિક માન્યતા છે. જાણો કઇ છે આ ગુફા અને તેના મહત્વ વિશે...
જમ્મૂ કાશ્મીરના રાજ્ય જમ્મૂથી થોડેક જ દૂરક રિયાસી જિલ્લો છે. આ જિલ્લામાં ભગવાન શિવનું ઘર કહેવાતી શિવ ખોડીની ગુફા છે. આ ભગવાન શિવના પ્રમુખ પૂજનીય સ્થળોમાંથી એક છે. આ ગુફા વિશે કહેવામાં આવે છે કે આ ગુફામાં ભગવાન શિવ સાક્ષાત બિરાજમાન છે અને આ ગુફાનો બીજો છેડો અમરનાથ ગુફાને મળે છે.
પવિત્ર ગુફા શિવ ખોડની લંબાઇ 150 મીટર લાંબી બતાવવામાં આવે છે. આ ગુફાની અંદર ભગવાન શિવ શંકરનું 4 ફૂટ ઉંચુ શિવલિંગ છે. આ શિવલિંગ પર પ્રાકૃતિક રૂપે જ પવિત્ર જળનો ધોધ હંમેશા પડતો રહે છે. શિવલિંગ સાથે જ આ ગુફામાં પિંડો બિરાજમાન છે. આ પિંડોને શિવ માતા પાર્વતી ભગવાન કાર્તિકેય અને ગણપતિના રૂપમાં પૂજાય છે.
એવી આસ્થા છે કે પિંડના રૂપમાં ગુફામાં વિરાજિત પરિવાર સહિત શિવ દર્શન કરવા પર પોતાના ભક્તોની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. ધાર્મિક કથા છે કે આ ગુફાને સ્વયં ભગવાન શંકરે બનાવી છે. આ ગુફાને બનાવવાનો હેતુ ભસ્માસુરને પાઠ ભણાવવાનો હતો.
પૌરાણિક કથા અનુસાર ભસ્માસુરે ઘોર તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા. તેણે શિવજી પાસેથી વરદાન માંગ્યું કે તે જેના પર હાથ મુકશે તે ભસ્મ થઈ જશે. શિવજીએ જેવું તેને વરદાન આપ્યું રાક્ષસ શિવજીને ભસ્મ કરવા માટે દોડવા લાગ્યો.
ભસ્માસુરથી બચવા માટે શિવજીને તેની સાથે યુદ્ધ કરવું પડ્યું. રણસુ કે રનસુ તે જ જગ્યા છે અહીં ભગવાન શિવ અને ભસ્માસુપ વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. આ યુદ્ધના કારણે જ ક્ષેત્રનું નામ રણસુ પડ્યું. યુદ્ધ દરમિયાન ભસ્માસુર હાર માનવા તૈયાર નહોતો અને શિવજી તેને મારી નહોતા શકતા કારણ તે તેમણે પોતે જ ભસ્માસુરને અભયનું વરદાન આપ્યું હતું.
ભસ્માસુરને પાછળ છોડવા માટે ભગવાન શિવ એવી જગ્યા શોધી રહ્યા હતા જ્યાં ભસ્માસુર તેમને શોધી ન શકે. ત્યારે શિવજીએ પહાડની વચ્ચે ગુફા બનાવી અને તેમા સંતાઈ ગયા. ખુદ ભગવાન શિવે ગુફાનું નિર્માણ કર્યું હોવાથી તેને શિવ ખોડી ગુફા કહે છે.
ભગવાન શિવને આવી રીતે ગુફામાં સંતાયેલા જોઈને ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કરીને ભસ્માસુર પાસે ગયા હતા. મોહિની રૂપ જોઈને ભસ્માસુર બધુ ભૂલી ગયો અને પ્રેમાંધ થઈને મોહિની સાથે નૃત્ય કરવા લાગ્યો. નૃત્ય દરમિયાન તેણે પોતાના જ મસ્તક પર હાથ મૂકી દીધો અને ભસ્મ થઈ ગયો. ભસ્માસુરના પોતાને ભસ્મ કર્યા બાદ શિવ ગુફામાંથી બહાર આવ્યા.
શિવજી દ્વારા નિર્મિત આ ગુફાનો છેડો દેખાતો નથી. માન્યતા છે કે જે પણ કોઈ ગુફામાં સ્થિત શિવલિંગ અને પિંડોના દર્શન કરીને ગુફામાં આગળ વધે છે ક્યારે પાછા નથી ફરતા. કહેવાય છે કે ગુફા બે ભાગોમાં વિભાજિત છે જેનો એક છેડો અમરનાથ ગુફામાં ખુલે છે જ્યારે બીજો છેડા વિશે કોઈ જાણકારી નથી. માન્યતા છે કે ગુફાની અંદર સ્વયં શિવજી સાક્ષાત બિરાજમાન છે.
શિવ ખોડી જવા માટે જમ્મૂ અથવા કટરા બંને જગ્યાથી રૂટ લઈ શકો છો. જમ્મૂથી રણસૂનું અંતર લગભગ 140 કિમી છે અને કટરાથી 80 કિમી છે. પછી રણસૂથી શિવ ખોડી જવા માટે લગભગ 3થી 4 કિમીનું ચઢાણ કરવું પડે છે. જે લોકોને ચાલવામાં મુશ્કેલી પડે તેઓ ખચ્ચર લઈ શકે છે.