શું તમે ક્યારેય પણ એવા ઘડા માટે સાંભળ્યું છે જેમાં ગમે તેટલું પાણી નાંખવામાં આવે તો પણ એ ભરાય જ નહીં. જો તમે ના સાંભળ્યું હોય તો અમે એક એવા ચમત્કારી ઘડા માટે જણાવવા જઇ રહ્યા છીએ.આ ઘડો રાજસ્થાનના પાલી જિલ્લામાં શીતળા માતાના મંદિરમાં આવેલો છે. આ મંદિર અહીંયા સ્થિત એક ચમત્કારી ઘડા માટે પ્રસિદ્ધ છે. આ વર્ષમાં 2 વખત શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવે છે.
અહીંયા મંદિરમાં એક ઘડો છે જે માત્ર અડધો ફુટ પહોળો અને એટલો જ ઊંડો છે. માનવામાં આવે છે કે આ ઘડામાં ગમે તેટલું પાણી ભરવામાં આવે પરંતુ એ ક્યારેય પૂરું ભરાતું નથી. એમાં અત્યાર સુધી 50 લાખ લીટરથી વધારે પાણી ભરવામાં આવી ચુક્યું છે. ત્યારબાદ પણ એ ખાલી જ છે.
800 વર્ષ જૂના આ ઘડા માટે એવી માન્યતા છે કે એમાં જે પાણી નાંખવામાં આવે છે એ રાક્ષસ પી જાય છે. આ રહસ્યનો ઉકેલવાનો ઘણી વખત પ્રયત્નો કરવામાં આવ્યા છે પરંતુ જાણી શકાયું નથી કે આવું કેમ અને કેવી રીતે થાય છે.
આ ઘડાને પહેલા શીતળા સપ્તમી પર અને બીજી વખત જેઠ મહિનાની પૂનમ પર. બંને પ્રસંગે મહિલાઓ એમાં હજારો લીટર પાણી નાંખે છે પરંતુ ઘડો ભરાતો નથી. ત્યારબાદ પૂજારી માતાના ચરણોથી લગાવીને દૂધનોભોગ ચઢાવે છે તો ઘડો પૂરો ભરાઇ જાય છે. દૂધનો પ્રસાદ ચઢાવીને એને બંધ કરી દેવામાં આવે છે. આ પ્રસંગે ગામમા મેળો પણ લાગે છે.
એવી માન્યતા છે કે 800 વર્ષ પહેલા બાબરા રાક્ષસના આતંકથી ગામના લોકો પરેશાન હતા. બ્રાહ્મણોના ઘરમાં જ્યારે કોઇ પણ લગ્ન થતા લતો રાક્ષસક દુલ્હાને મારી નાંખતો હતો. ત્યારે બ્રાહ્મણોએ શીતળા માતાની તપસ્યા કરી. ત્યારે શીતળા માતા ગામના એક બ્રાહ્મણના ઘરે આવી અને કહ્યું કે જ્યારે એની પુત્રીના લગ્ન થશે ત્યારે તે રાક્ષસને મારી નાંખશે. લગ્નના સમયે શીતળા માતા એક નાની કન્યાના રૂપમાં હાજર હતા. ત્યાં માતાએ પોતાના ઘૂંટણોથી રાક્ષસને દબાઇને મારી નાંખ્યો.
રાક્ષસે શીતળા માતાથી વરદાન માંગ્યું હતું કે ગરમીમાં એને તરસ વધારે લાગે છે એટલા માટે વર્ષમાં બે વખત એને પાણી પીવડાવવું પડશે. એની પર શીતળા માતાએ એને આ વરદાન આપી દીધુ ત્યારથી આ પરંપરા ચાલતી આવી છે.