shiromani akali dal leader harsimrat kaur protesting against centres farm bills compare the opportunity with mukesh ambani company venture jio news and updates
નિવેદન /
જિયોનું ઉદાહરણ આપતા હરસિમરત કૌરે કહ્યું શરુઆતમાં જિયોએ ફ્રી કોલ્સ આપ્યા પછી રેટ વધાર્યા, કૃષિ બિલ પણ...
કેન્દ્ર સરકાર તરફથી કૃષિ વિધેયકના વિરોધમાં મંત્રી પદ છોડનાર શિરોમણી અકાલી દળના નેતા હરસિમરત કૌર બાદલે કહ્યું છે કે ખેડૂતોની ચિંતા છે કે આવનાર દિવસોમાં નવા કાયદાના કારણે ખાનગી કંપનીઓ કૃષિ સેક્ટરને કંન્ટ્રોલ કરશે. જેના કારણે નુકસાન થઈ શકે છે. હરસિમરત કૌરે જણાવ્યું કે તેમણે બિલને લઈને ખેડૂતો સાથે વાત કરી છે. એક ગ્રામીણ ખેડૂતે કરેલી વાતનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે ટેલિકોમ સેક્ટરમાં મુકેશ અંબાણીની કંપની જિયો આવવાની સરખામણી કૃષિ સેક્ટરમાં ખાનગી કંપનીઓ આવવા સાથે કરી દીધી છે.
નવા કાયદાના કારણે ખાનગી કંપનીઓ કૃષિ સેક્ટરને કંન્ટ્રોલ કરશે
ખેડૂતનું કહેવું છે કે હવે કોર્પોરેટ કંપનીઓ અમારી સાથે તેવું કરવા ઈચ્છે છે
આવો કોઈ કાયદો ન લાવવામાં આવે જે ખેડૂત વિરોધી હોય
હરસિમરતે એક ટીવી ચેનલના ઈન્ટરવ્યૂમાં કહ્યું, કે એક ખેડૂતે મને નવા કાયદાથી થનારી અસરનું ઉદાહરણ આપ્યું. તેણે કહ્યું કે જિયો આવ્યુ હતુ ત્યારે ફ્રી ફોન હતો જ્યારે તમામે આ ફોનને લઈ લીધો છે તો હવે તેઓ તેના પર નિર્ભર થઈ ગયા છે. આના કારણે સંપૂર્ણ સ્પર્ધા ખતમ થઈ ગઈ છે. એ બાદ જીઓએ પોતાના રેટ વધારી દીધા. ખેડૂતનું કહેવું છે કે હવે કોર્પોરેટ કંપનીઓ અમારી સાથે તેવું કરવા ઈચ્છે છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેમણે મોદી સરકારને અનેક વાર ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતા સાંભળવા કહ્યું છે. સાથે બિલ પસાર કરતા પહેલા તેમને ખેડૂતો સાથે વાતચીત કરવાનો આઈડિયા પણ આપ્યો. હરસિમરતે કહ્યું કે મે અનેકવાર કહ્યું કે આવો કોઈ કાયદો ન લાવવામાં આવે જે ખેડૂત વિરોધી હોય. તમે કેવી રીતે લોકોની મરજી સમજ્યા વગર કંઈ પણ કરી શકો છો. મે તેમને મનાવવાનો અનેક પ્રયાસ કર્યો છે પરંતુ પોતાની વાત સમજાવવામાં અસફળ રહી.
તેમણે કહ્યું કે આ કાયદો બનતા પહેલા જ્યારે મારી પાસે આવ્યો ત્યારે મે તેમને કહ્યું કે ખેડૂતોના મનમાં આને લઈને અનેક મુંજવણ છે. તેને પહેલા દુર કરવી જોઈએ. રાજ્ય સરકારોને પણ વિશ્વાસમાં લઈને કોઈ પગલા ભરવા જોઈએ. મે વિરોધ મે મહિનામાં નોંધાયો હતો.