કૃષિ બિલને લઈને પંજાબ અને હરિયાણાના ખેડૂતોને વિરોધ NDAને ભારે પડ્યો છે. ભાજપના જૂના સાથી અને NDAના સૌથી મહત્વના ઘટક ગણાતા અકાલી દળે આજે છેડો ફાડતા દેશના રાજકારણમાં ભૂકંપ આવ્યો હતો.
અકાલીદળ NDAથી અલગ થયું
અગાઉ હરસિમરત કૌરે આપ્યું હતું રાજીનામુ
અકાલીદળની કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય
મહત્વનું છે આજે મોડી રાતે અકાલી દળની કોર કમિટીએ NDA સાથે છેડો ફાડવાનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે જ્યારથી નવા કૃષિ બિલની વાત શરૂ થઈ છે ત્યારથી પંજાબ અને હરિયાણામાંથી ખેડૂતોનો ભારે વિરોધ ચાલી રહ્યો હતો.
Shiromani Akali Dal (SAD) has decided to pull out of BJP-led NDA alliance because of the centre’s stubborn refusal to give statutory legislative guarantees to protect assured marketing of farmers crops on MSP & its continued insensitivity to Punjabi & Sikh issues: SAD pic.twitter.com/lC3xHczDm2
જો કે આ બિલ સંસદમાં પાસ થયા બાદ અકાલી દળના સાંસદ અને મંત્રી હરસિમરત કૌરે મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે હું આવી સરકારનો હિસ્સો ન હોઈ શકું.