જો તમને કોઈ વિદેશમા નોકરી આપવાનુ કહે તો જરા ચેતજો. કેમકે કેટલાક લોકો તમારી સાથે દુબઈમા નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરી શકે છે. આવી જ એક ઘટના 6 અમદાવાદી સાથે બની છે. જોકે પોલીસે તેમની ફરિયાદ ન લેતો તેઓએ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતીના દરવાજા ખખડાવા છે. ત્યારે શું છે સમગ્ર મામલો?
ઓનલાઈન તપાસ કરી ત્યારે શીર્લીનો ભાંડો ફુટી ગયો...
આ મહિલાથી જરા ચેતજો, કેમ કે આ મહિલા તમારી સાથે કરી શકે છે છેતરપીંડી. આ મહિલા છે તેજશ્રી શીર્લી ગીલબર્ટ. મહીલા પર 6 અમદાવાદીઓએ તેઓને દુબઈ મોકલવાના બહાને નકલી વિઝા અને પરમીટ કાઢી આપી છેતરપિંડી કર્યાનો આરોપ લગાવ્યો છે. 2 વર્ષ પહેલા ભોગ બનેલા 6 લોકોમાંથી અનિલ ભાટીયા કે જેઓ દુધેશ્વરમા કેફેટેરીયા ચલાવે છે. ત્યાં તેનો મિત્ર યોગેશ ચા પિવા આવતો. જેના થકી અનિલના બે પુત્રોને વર્ક વિઝા પરમીટ પર દુબઈ મોકલવાની વાત થઈ હતી. જે બાદ યોગેશે શીર્લી ગીલબર્ટનો સંપર્ક કરાવ્યો હતો. જો કે ત્યારે અનિલને ખ્યાલ ન આવ્યો કે તેની સાથે છેતરપિંડી થશે. પરતું જ્યારે વર્ક વિઝા અને પરમીટ માટે આપેલા સમય કરતા બમણો સમય વિત્યો અને જ્યારે વિઝા અને પરમીટ મળી અને ભોગ બનનારે ઓનલાઈન તપાસ કરી ત્યારે શીર્લીનો ભાંડો ફુટી ગયો. તમામે પોતાની સાથે છેતરપીંડી થયાનુ જાણવા મળ્યું.
...અને ચાલમાં ફસાઈ ગયા
2 વર્ષ પહેલા અનિલ ભાટીયા તેના મિત્ર યોગેશ થકી શીર્લી ગિલબર્ટના સંપર્કમાં આવ્યા. જેમાં યોગેશે તેના પુત્રને શીર્લીએ દુબઈ મોકલ્યાની ખાત્રી આપી હતી. તો શીર્લીએ દુબઈમાં તેનો પાર્ટનર ઈરફાન દલવી સમગ્ર કામ સંભાળતો હોવાની ખાત્રી આપી હતી. તો સાથે જ શીર્લીએ તેઓને દુબઈ એરપોર્ટ પર અન્ય લોકોની પણ જરૂર હોવાનુ જણાવ્યું હતું. જેથી અનિલ ભાટીયાએ તેના બન્ને પુત્ર પ્રશાંત ભાટિયા અને અતુલ ભાટિયા સાથે જીગર અમરીશ ઠાકોર, દિવ્યેશ વૈષ્ણવ, રોહીત પ્રભુ ચૌઘરી અને કેયુર ભરત પટેલને શોધી લાવ્યા. જે તમામ પાસે 3 લાખ રૂપિયા નક્કી કરી અલગ અલગ રકમ અલગ અલગ સમયે લેવામા આવી. કેટલીક રકમ શીર્લીના ખાતામા જમા કરાવાઈ તો કેટલીક ઈરફાનના ખતમ જમા કરવી. જોકે રોકડ રકમ જમા કરાવવાની વાતને લઈને ભોગ બનનારે તુટક તુટક રકમ નક્કી કરી તેમ છતા પણ તેઓ શીર્લી અને યોગેશ અને ઈરફાનની ચાલમા ફસાઈ ગયા. તેઓને નતો સાચા વિઝા મળ્યા. ન તો પરમીટ મળી, સાથે જ વિશ્વાસમા લેવા દુબઈ એરપોર્ટના ખોટા એપોઈન્મેન્ટ લેટર પણ આપવામા આવ્યા.
લીધી પોલીસની મદદ
જોકે સમગ્ર મામલાની જાણ ભોગ બનનારને થતા તેઓએ પોલીસ સ્ટેશનના દરવાજા ખખડવ્યા હતા. જોકે પોલીસે ફરિયાદ ન લેતા આખરે તમામે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતીના દરવવાજા ખખડાવ્યા અને ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતી દ્વારા પોલીસ પાસે પણ યોગ્ય ન્યાયની માગ સાથે છેક સુધી લડી લેવાની તૈયારી બતાવી છે.
વધારાના 1 કરોડની રકમ પણ માંગવામાં આવી હતી
એટલુ જ નહીં પણ શીર્લી ગિલબર્ટ દ્વારા જો વિઝા પરમીટની કામગીરી પુર્ણ કરવી હોય તો વધારાના 1 કરોડની રકમ પણ માંગવામા આવી હોવાનુ સુત્રો પાસેથી માહિતી મળી છે. તો સાથે જ છેતરપીંડીની ઘટનાની જાણ અનિલ ભાટીયાને થતા તેનો મિત્ર યોગેશ પણ કેટલાક સમયથી ગાયબ થઈ ગયો છે. ત્યારે સવાલ એ થાય છે કે ગ્રાહક સુરક્ષાના દરવાજા ખખડાવ્યા બાદ ભોગ બનનારની પોલીસ ફરિયાદ ક્યારે લે છે. બાદમા ક્યા પ્રકારની કાર્યવાહી કરે છે, કે પછી તમામે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતીના પગથીયા સાથે કોર્ટના પગથીયા જ ચડ ઉતર કરવાના રહેશે તે પ્રશ્ન છે.