મહારાષ્ટ્રમાં શિરડી સાંઈબાબાના જન્મસ્થાનને લઈને હાલમાં વિવાદ શરૂ થયો છે. જેના કારણે શનિવારે મોડી રાતે 12 વાગ્યાથી ગ્રામસભાએ શિરડી શહેર બંધ કર્યું છે પરંતુ મંદિરને દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે. આ મંદિર શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ માનીતું છે. અહીં તેઓ આંખો બંધ કરીને રૂપિયા ચઢાવે છે.
મહારાષ્ટ્રનું શિરડી મંદિર છે શ્રદ્ધાળુઓમાં જાણીતું
શ્રદ્ધાળુઓ આંખો બંધ કરીને ચઢાવે છે રૂપિયા
છેલ્લા 11 દિવસમાં ચઢાવાની કુલ રકમ 17.42 કરોડ રૂપિયા
ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેએ 9 જાન્યુઆરીએ ઔરંગાબાદમાં સાંઈ બાબાના કહેવાતા જન્મ સ્થાન પાથરી શહેરને માટે 100 કરોડની વિકાસ નિધિ આપવાનું એલાન કર્યું હતું. મુખ્યમંત્રીએ આ નિર્ણયનો શિરડીના લોકોએ વિરોધ કર્યો હતો. તેમનું કહેવું છે કે પાથરીને લઈને જો સરકાર પોતાનો નિર્ણય પાછો નહીં લો તો તેઓ કોર્ટમાં જશે. જાણો શિરડી મંદિરમાં હાલમાં કેટલો ચઢાવો આવ્યો છે.
છેલ્લા 11 દિવસમાં ચઢાવાયા આટલા રૂપિયા
શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટના અનુસાર જાન્યુઆરીમાં ફક્ત 11 દિવસમાં સાંઈબાબા મંદિરમાં 17.42 કરોડ રૂપિયાનો ચઢાવો આવ્યો છે. આ સમયે 8 લાખથી વધારે શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવ્યા હતા. મળતી માહિતી અનુસાર 23 ડિસેમ્બર 2019થી 2 જાન્યુઆરી 2020 સુધી મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના શિરડીમાં 8.23 લાખ ભક્તોએ પ્રસિદ્ધ મંદિરના દર્શન કર્યા હતા.
શું આવે છે ચઢાવામાં?
ચઢાવામાં 1,213.680 ગ્રામ સોનું અને 17,223 ગ્રામ ચાંદીનું દાન કરવામાં આવ્યું છે. કુલ મળીને 17.42 કરોડ રૂપિયાનું દાન કરાયું હતું. ગયા વર્ષે મંદિરમાં 14.5 કરોડ રૂપિયા દાનમાં મળ્યા હતા.
કેશ, ડીડી અને ચેકથી મળી આટલી રકમ
માહિતી અનુસાર શિરડી સાંઈ બાબા મંદિરને વર્ષ 2019માં દાનમાં કુલ 287 કરોડ 6 લાખ 85 હજાર રૂપિયા મળ્યા હતા. જેમાં 156 કરોડ 49 લાખ 2350 રૂપિયાનું ગુપ્તદાન મળ્યું હતું. કુલ કેશ દાનમાં 60 કરોડ 84 લાખ 8590 રૂપિયા મળ્યા હતા. તો ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ મળીને 23 કરોડ 35 લાખ 90409 રૂપિયા જમા થયા હતા.
મનીઓર્ડર, ઓનલાઈન ટ્રાન્સફર, આભૂષણ અને કાર્ડથી મળ્યું આટલું દાન
2 કરોડ 17 લાખ 83 હજાર 515 રૂપિયાના મનીઓર્ડર અને 17 કરોડ 59 લાખ 11 હજાર 424 રૂપિયા ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી દાનમાં મળ્યા હતા. તો 16 કરોડ 2 લાખ 51 હજાર 606 રૂપિયાનું ઓનલાઈન દાન કરવામાં આવ્યું હતું. દાનમાં સોનાના આભૂષણ, સિક્કા અને અન્ય કીમતી સામાન લગભગ 19 કિલોગ્રામનો છે. જેમાં ચાંદીથી બનેલી વસ્તુઓ 391 કિલોગ્રામ જેટલી છે.
કેશ કાઉન્ટર અને કલેક્શન બોક્સનું દાન
કેશ કાઉન્ટરથી 60.84 કરોડ રૂપિયા અને કલેક્શન બોક્સથી 156.49 કરોડ રૂપિયા મળ્યા હતા. આ રકમ 2019ની છે. આ સાથે જ આ વર્ષે 10.58 કરોડ રૂપિયા વિદેશી કરંસી દાન કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે 2018માં સાંઈ બાબાની સમાધિના 100 વર્ષ પૂરા થયા હતા. આ સમયે પીએમ મોદી પણ શિરડી પહોંચ્યા હતા. અહીં કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને અનેક મોંઘી વસ્તુઓ, દાગીના કે રૂપિયા દાન કરી જાય છે.