શિરડીના સાંઇ બાબાને સમાધિ લીધે આજે 100 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે આ પ્રસંગે શિરડીમાં મોટો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે શિરડી સાઇ મંદિર પહોંચ્યા છે. પ્રધાનમંત્રઈ નરેન્દ્ર મોદીએ અહીંયા સાંઇની વિશેષ પૂજા કરી. એ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યપાલ વિદ્યાસાગર રાવ પણ હાજર રહ્યા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહીંયા મંદિરની વિઝિટર બુકમાં પોતાના વિચાર પણ લખ્યા. પ્રધાનમંત્રી એ આ પ્રસંગે સાંઇ બાબાની યાદમાં ચાંદીના ચિક્કા જારી કર્યા. આ ઉપરાંત એમને પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘણા લાભાર્થીઓને ઘરની ચાવી પણ સોંપી એમને લાભાર્થીઓ સાથે વાત કરી.
આ કાર્યક્રમ બાદ પીએમ મોદી એ અહીંયા એક રેલીને સંબોધિત કરી. PMએ પોતાના ભાષણની શરૂઆત મરાઠી ભાષામાં કરી. પ્રધાનમંત્રીએ દેશવાસીઓને અહીંયાથી વિજયાદશમીની શુભેચ્છા પાઠવી મારો પ્રયત્ન રહે છે કે દરેક તહેવાર દેશવાસીઓની સાથે ઊજવશે. PM બોલ્યા સાઇને યાદ કરીને લોકોની સેવા કરવા માટે શક્તિ મળે છે.
એમને કહ્યું કે સાંઇનો મંત્ર છે 'સબકા માલિક એક હૈ' સાંઇ સમાજનિા હતા અને આ સમાજ સાંઇનો હતો. સાંઇમા ચરણોમાં બેસીને ગરીબો માટે કામ કરવું સૌભાગ્યની વાત છે. એમને કહ્યું કે મને ખુશી છે કે દશેરાના પાવન અવસરે મને મહારાષ્ટ્રના અઢી લાખ બહેનો-ભાઇને પોતાનું ઘર સોંપવની તક મળી.
મોદી સરકારે કહ્યું કે ગત સરકારે પોતાના છેલ્લા ચાર વર્ષમાં માત્ર 25 લાખ ઘર બનાવ્યા હતા પરંતુ અમારી સરકારે ચાર વર્ષના કાર્યકાળમાં 1 કરોડ 25 લાખ ઘર બનાવ્યા છે. જો ગત સરકાર હોત તો આટલા ઘર બનાવવા માટે 20 વર્ષ થઇ જાત.
Prime Minister Narendra Modi hands over keys to beneficiaries of Pradhan Mantri Awas Yojana (Rural) in Shirdi. #Maharashtra CM Devendra Fadnavis also present. pic.twitter.com/oFNOdRagWX
પ્રધાનમંત્રીએ અહીંયા નવું ભવન 159 કરોડ રૂપિયાના ખર્ચથી વિશાળ શૈક્ષણિક ભવન તારાઘર મોમ સંગ્રહાલય સાંઇ ઉદ્યાન અને થીમ પાર્ક સહિત પ્રમુખ પરિયોજનાઓનું ભૂમિપૂજન કર્યું.
એમની સમાધિની શતાબ્દી પર ન્યાસ દ્વારા આખું વર્ષ ઉત્સવ ઊજવવામાં આવ્યો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એક ઓક્ટોબર 2017 એ શતાબ્દી મહોત્સવનું ઉદ્ધાટન કર્યું હતું. ઉપરાષ્ટ્રપચિ એમ. વેંકૈયા નાયડૂએ ડિસેમ્બર 2017માં વૈશ્વિક સાંઇ મંદિર સંમેલનનું ઉદ્ધાટન કર્યું અને આખું વર્ષ નાના મોટા ઉત્સવોનું આયોજન ચાલતું રહ્યું.