મહારાષ્ટ્ર સરકાર દ્વારા હાલમાં જ સાંઈ બાબાના જન્મસ્થળને લઈને એક ઘોષણા કરવામાં આવી હતી. જેને લઈને વિવાદ ચાલી રહ્યો છે. વિવાદ એટલો વધી ગયો છે કે શિરડીના સ્થાનીય લોકોએ શિરડી બંધનું આહ્વાન કર્યું છે.
ઘણા શ્રદ્ધાળુ પાથરીને સાંઈ બાબાનું જન્મસ્થળ માને છે.
શિરડીના સ્થાનિકો તે જન્મસ્થળને ખોટું માને છે.
શિરડી બંધના એલાન છતાં શ્રદ્ધાળુ માટે મંદિર ખુલ્લું
મહારાષ્ટ્ર સરકાર દ્વારા હાલમાં જ સાંઈ બાબાના જન્મસ્થળને લઈને એક ઘોષણા કરવામાં આવી હતી. જેને લઈને વિવાદ ચાલી રહ્યો છે. વિવાદ એટલો વધી ગયો છે કે શિરડીના સ્થાનીય લોકોએ શિરડી બંધનું આહ્વાન કર્યું છે. વિવાદ થયો છતાં શ્રદ્ધાળુ માટે મંદિર ચાલુ રહેશે. જો કે વિવાદ વધતો જતો હોવાથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વિવાદ પર ચર્ચા કરી શાંતિપ્રિય રીતે મુદ્દાને ઉકેલવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
Maharashtra: Devotees visit Shirdi Sai Baba temple amid bandh called today in #Shirdi town, against CM Uddhav Thackeray's reported comment calling Pathri (in Parbhani) as Sai Baba's birthplace. pic.twitter.com/z5nPzxMiFZ
સોમવારે મુખ્યમંત્રી સાથે બેઠક
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શિરડી વિવાદ ઉકેલવા માટે સોમવારે 2 વાગે બેઠક બોલાવી છે. આ બેઠકમાં શિરડી મંદિરના ટ્રસ્ટના લોકો પણ ભાગ લેશે. તથા મુખ્ય કાર્યકારી અધિકારી દીપક મુગલીકર, સાંસદ લોખંડે અને ધારાસભ્ય રાધાકૃષ્ણ પાટીલ હિસ્સો લેશે.
હું પોતે મુખ્યમંત્રીને મળીશ - શિવસેના સાંસદ
શિવસેના સાંસદ સદાશિવ લોખંડે સાંઈ ભક્તોને કહ્યું કે હું પોતે મુખ્યમંત્રીને મળીશ અને મુદ્દાને લઈને ચર્ચા કરીશ તેવો ભક્તોને વિશ્વાસ જતાવ્યો છે. સાંઈ ભક્તોનો પાથરીના વિકાસને લઈને વિરોધ નથી પરંતુ સાંઈ બાબાની જન્મભૂમી બતાવી તે વાતને લઈને નારજ છે.
શિરડીમાં વિરોધ પ્રદશન શરૂ
શિરડીમાં વિરોધ પ્રદશન શરૂ થઈ ગયું છે અને મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર જમા થયા છે. આજ સવારથી તમામ દુકાનો બંધ છે જો કે શ્રદ્ધાળુઓ માટે મંદિર શરુ રહશે.
શિરડીમાં ભારે ભીડ
શિરડી બંધના એલાન છતાં સાંઈ બાબાના મંદિરમાં ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. તસ્વીરમાં ભક્તોની લાંબી લાંબી લાઈન લાગી છે.
વિવાદનો ઉકેલ લાવવા મુખ્યમંત્રી આવ્યા સામે
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ સાંઈ બાબાની જન્મભૂમીને લઈને થઈ રહેલા વિવાદનો ઉકેલ લાવવા માટે સમર્થકો સાથે વાતચીત કરશે.
શું છે વિવાદ
પરભણી જીલ્લાના પાથરીમાં, શિરડીથી 275 કિલોમીટર દૂર છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે નિવેદન આપ્યું અને કહ્યું કે પાથરીના વિકાસ માટે 100 કરોડ રૂપિયા આપવામાં આવશે તેવી ઘોષણા કરી હતી. જો કે તેમના જન્મની જાણકારી કોઈને નથી. સાંઈ શિરડીમાં વસવાટ કરતા જેથી શિરડી તેમની ઓળખ બની ગઈ.