મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા સાંઈ જન્મભૂમિ પાથરી શહેર માટે વિકાસ ભંડોળની જાહેરાત બાદ જે વિવાદ ઉભો થયો છે તે અટકવાનું નામ નથી લઈ રહ્યો. મુખ્યમંત્રીના નિવેદનથી શિરડીના લોકો નારાજ છે. જેને લઈને આજે શિરડી ગ્રામસભા દ્વારા શિરડી બંધનું એલાન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે CM ઉદ્ધવ ઠાકરેએ પાથરી શહેરને 100 કરોડ આપવાનુ એલાન કર્યું હતું.
મહારાષ્ટ્રના શિરડીમાં આજે બંધનુ એલાન
શિરડી ગ્રામસભાએ શિરડી બંધનુ કર્યુ છે એલાન
સાંઈ જન્મભૂમિ પર CM ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી લોકો નારાજ
મુખ્યમંત્રીના આ નિર્ણય સામે રવિવારે શિરડી બંધની ઘોષણા કરવામાં આવી છે. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે સાંઇ બાબાએ ક્યારેય તેમના જન્મ અને ધર્મનો ઉલ્લેખ કર્યો નથી કે સાંઇ ચરિત્રમાં તેના વિશે કંઈ લખ્યું નથી.
Maharashtra: Shirdi Sai Baba temple remains open amid bandh called today in Shirdi town, against CM Uddhav Thackeray's reported comment calling Pathri (in Parbhani) as Sai Baba's birthplace. pic.twitter.com/fNAx3FrPTa
શિરડી ગ્રામસભાએ નિર્ણય લીધો છે કે જ્યાં સુધી મુખ્યમંત્રી ઠાકરે પોતાનું નિવેદન પાછું નહીં ખેંચે ત્યાં સુધી બંધ ચાલુ રહેશે. મુખ્યમંત્રીએ શિરડીના લોકોને રવિવારનું બંધ પાછું ખેંચવા જણાવ્યું છે. શિવસેનાના એમએલસી નીલમ ગોરેએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે આવતા સપ્તાહમાં મુખ્યમંત્રી શિરડીના લોકોને મળીને આ મુદ્દાનું નિરાકરણ લાવશે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ પાથરી જશે અને લોકો સાથે વાત કરશે. તે જ સમયે, ભાજપના નેતા અને ધારાસભ્ય રાધાકૃષ્ણ વિખે પાટીલે શિરડી ગ્રામ સભાના બંધ કોલને ટેકો આપ્યો છે.
Maharashtra: A bandh has been called today in Shirdi town, against CM Uddhav Thackeray's reported comment calling Pathri (in Parbhani) as Sai Baba's birthplace. pic.twitter.com/wxPGlrRJki
આપને જણાવી દઈએ કે ઉદ્ધવ ઠાકરેએ 9 જાન્યુઆરીએ ઔરંગાબાદના સાંઇબાબાના જન્મ સ્થળ પાથરી શહેર માટે 100 કરોડનો વિકાસ ભંડોળ આપવાની જાહેરાત કરી હતી. શિરડીના લોકો મુખ્યમંત્રીના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. આ લોકોનું કહેવું છે કે જો સરકાર પાથરી અંગેનો નિર્ણય પાછો નહીં ખેંચે તો તેઓ કોર્ટમાં જશે. સાંઈ મંદિરના પૂર્વ ટ્રસ્ટી, અશોક ખાંબેકર કહે છે કે સાંઇબાબાએ ક્યારેય કોઈને તેમના જન્મ, ધર્મ વિશે જણાવ્યું ન હતું. બાબા એ બધા ધર્મનું પ્રતીક હતું. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ ખોટી માહિતી આપી છે. ખાંબેકર કહે છે કે મુખ્યમંત્રીએ સૌ પ્રથમ સાઈ સત્ ચરિત્રનો અભ્યાસ કરવો જોઈએ અને તે પછી નિર્ણય લેવો જોઈએ.
પાથરી ગામ સાઇબાબાનું જન્મસ્થળ છે અને હું તેના વિકાસ માટે કામ કરીશઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
અશોક ખંબેકરે જણાવ્યું હતું કે આ અગાઉ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ સાંઈબાબાના જન્મસ્થળને લઈને આવું નિવેદન આપી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ 1 ઓક્ટોબર 2018 ના રોજ સાંઇ બાબા સમાધિ શતાબ્દી ઉજવણીનું ઉદઘાટન કરવા માટે આવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે પાથરી ગામ સાઇબાબાનું જન્મસ્થળ છે અને હું તેના વિકાસ માટે કામ કરીશ. રાષ્ટ્રપતિના આ નિવેદનનો પણ તે સમયે વિરોધ કરવામાં આવ્યો હતો.